કોડીનાર માંથી ચાર બુટલેગરોને પોલીસે તડીપાર તડીપાર કરવામાં આવ્યા
જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મયંકસિંહ ચાવડા સાહેબ તથા ગીર-સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર.ખેંગાર સાહેબ નાઓએ પ્રોહીબીશનની પ્રવૃત્તિઓને અંકુશમા લેવા તેમજ સંડોવાયેલ ઇસમો સામે કડક પગલા લેવા સારૂ આવા ઇસમો ઉપર વોચ રાખી અસરકારક અટકાયતી પગલાં લેવા સારૂ આપેલ જરૂરી સુચના મુજબ,
કોડીનાર પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ દ્વારા પ્રોહિબીશનની અસામાજીક પ્રવૃત્તિમાં સંડોવાયેલ ઇસમો (૧)મયુરભાઇ રાયસીંગભાઇ સોલંકી રહે.સીંધાજ, (૨)મહિપતસિંહ ઉર્ફે મુન્ના માધુભાઇ પરમાર રહે.સીધાજ, (૩)રમેશભાઇ ઉકાભાઇ વંશ રહે.વડનગર, (૪)નવલભાઇ નાનાભાઇ અજાબીયા રહે.કડવાસણ, તા.કોડીનાર, જી.ગીર સોમનાથ વાળાઓની હદપારી ધારા હેઠળ અટકાયત થવા સારૂ દરખાસ્ત તૈયાર કરી નાયબ પોલીસ અધિક્ષક શ્રી, વેરાવળ વિભાગ વેરાવળ નાઓ મારફતે સબ ડીવીજનલ મેજીસ્ટ્રેટ સાહેબ શ્રી ઉના નાઓ તરફ મોકલી આપેલ જે આધારે આ ચારેય ઇસમોની ગુનાહિત પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવો જરૂરી જણાતા સબ ડીવીજનલ મેજીસ્ટ્રેટ સાહેબશ્રી ઉના નાઓ તરફથી મજકુર ઇસમોને ગીર સોમનાથ જીલ્લાની હદ વિસ્તારમાંથી હદપાર થવાનો હુકમ થતા મજકુર ઇસમોને પકડી પાડી હુકમની બજવણી કરવામાં આવતા મજકુર ચારેય ઇસમોને આજરોજ ગીર સોમનાથ જીલ્લામાંથી હદપાર કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર કોડીનાર પોલીસ સ્ટાફ-
શ્રી એ.એમ.મકવાણા સાહેબ પોલીસ ઇન્સપેક્ટર, પો.હેડ કોન્સ, સહદેવસિંહ હરીસિંહ, દિનેશભાઇ ધીરૂભાઇ, લલીતભાઇ બાવકાભાઇ, વિપુલભાઇ હમીરભાઇ, રમેશભાઇ ભીમાભાઇ, ગોપાલસિંહ દિપસિંહ, પો.કોન્સ. અશ્વિનકુમાર અમૃતલાલ, મુકેશભાઇ દાસાભાઇ, જગદિશભાઇ રામસીંગભાઇ, નંદિશભાઇ જેસીંગભાઇ