Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
social/viral

26 જાન્યુઆરી લાલકિલ્લા પરેડ માટે ભારતભર ની 1400 ટીમ માંથી ભાવનગરનું સંસ્કાર ગ્રૂપ આખરી પડાવ માં વિજેતા થઈ પસંદગી પામ્યું.

26 જાન્યુઆરી લાલકિલ્લા પરેડ માટે ભારતભર ની 1400 ટીમ માંથી ભાવનગરનું સંસ્કાર ગ્રૂપ આખરી પડાવ માં વિજેતા થઈ પસંદગી પામ્યું. મીનીસ્ટરી ઓફ કલ્ચર ભારત સરકાર દ્વારા આયોજિત rd પરેડ માટે ભારતભર માંથી 7 ઝોન માંથી એન્ટ્રી મંગાવવા માં આવેલી જેમાં 1400 જેટલી કૃતિ ને છેલ્લા 2 મહિના થી ક્રમશ તબક્કાવાર સિલેકશન થતાં 4 રાઉન્ડ ના અંતે સંસ્કાર ગ્રુપની પસંદગી થતાં ભાવેણાના કલા પ્રેમીઓ માં આનંદ ની લાગણી પ્રસરી છે. કીર્તિદેવસિંહ ગોહિલ ના સંચાલન હેઠળ ચાલતા સંસ્કાર ગ્રૂપ ને ચેતન ચૌહાણ અને કૃપાલસિંહ ગોહિલ માર્ગદર્શન હેઠળ મહિપાલસિંહ પરમાર તુલસી નારિગરા, તિર્થરાજસિંહ ઝાલા , રિદ્ધિ ડોડીયા, પ્રગતિબા ગોહિલ, માહિર રાઠોડ રશ્મિ બારૈયા, શ્રેયા ,રાહુલ વાઘેલા , નિધિ બાંભણીયા એ મિશ્રરાસ ની સુંદર કૃતી રજૂ કરી નિર્ણાયક ગણ ને પ્રભાવિત કરવામાં સફળ રહ્યા. હવે સંસ્કાર ગ્રૂપ આગામી 5 જાન્યુ થી 26 જાન્યુ સુધી દિલ્હી માં રહેશે અને થીમ અનુસાર 26 મી જાન્યુઆરી એ વિશાળ જનમેદની વચ્ચે તેમની રજૂઆત કરશે. . ..

संबंधित पोस्ट

સાઉથ કોરિયન યુવતીએ ભારતીય ગોલ ગપ્પાના મલ્ટી ફળવેરને આપ્યા રેટિંગ : વિડીયો સોશીયલ મીડિયા પર થયો વાયરલ

Admin

दिल्ली – दिल्ली पुलिस ने किया लग्जरी गाड़ियाँ लुटने वाले गिरोह का पर्दाफास

Admin

૪૨માં ખેલકૂદ મહોત્સવમાં ઉંચીકુદ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતી નંદકુંવરબા મહિલા કોલેજની વિધાર્થીની

Admin

મોરબી વોર્ડ નંબર 2 ના દલિત અને મુસ્લિમ યુવાનોએ ધારાસભ્ય નું ફૂલહાર થી કર્યું સ્વાગત

Admin

વડોદરા: 4 લોકો લીફ્ટમાં નીચે ઉતરતા હતા, અને અચાનક જ…

Admin

ભાવનગર ભોજપરા ના યુવાનને રખડતા ઢોરે ઢીકે ચડાવતા મોત

Admin