98 રાજુલા વિધાનસભામાં વિજય વિશ્વ સંમેલન સાથે કોંગ્રેસ પક્ષના વર્તમાન ધારાસભ્ય અને કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેર દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું
પ્રથમ પૂજા પાઠ કરી હનુમાન ચાલીસા તેમજ સુંદરકાંડ ના પાઠ કરી ભગવાનને પ્રાર્થના કરી કોંગ્રેસના અમરીશ ડેથ દ્વારા ઉમેદવાર પત્ર કરવામાં આવ્યું
તેમજ વિજય વિશ્વાસ સંમેલન પણ યોજવામાં આવ્યું હતું જેમાં ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ મહુવાના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય પદ ના ઉમેદવાર કનુભાઈ કલસરિયા. જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન ટીકુભાઈ વરુ. જાફરાબાદ થી પ્રવીણભાઈ બારીયા.
સહીત કોંગ્રેસ ના આગેવાનો તેમજ કાર્યકર્તા વિશાલ સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા
આતકે વિશાળ જન્મેંદની સંબોધતા ઉનાના વર્તમાન ધારાસભ્ય ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા ભાજપ આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા
તેમજ મહુવા થી પધારેલા ડોક્ટર કનુભાઈ કલસરિયા દ્વારા પણ અમરીશ ભાઈ ને રાજુલા જાફરાબાદ અને ખાંભા ની જનતા જંગી બહુમતીથી ચૂંટી કાઢે જે માટે હાકલ કરવામાં આવી હતી
તેમજ પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન ટીકુભાઇ વરૂ દ્વારા પણ તમામ લોકોને સંબોધતા જણાવ્યું હતું કે આ વખતે અમરીશભાઈ જંગી બહુમતીથી વિજય બનશે અને કોંગ્રેસની સરકાર આવશે તો અમરીશભાઈ ડેપ્યુટી સીએમ તરીકે જાહેર થશે તેવું જણાવતા રાજુલા જાફરાબાદ અને ખાંભાની જનતામાં પણ આગામી ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો
અને રાજુલા જાફરોદ અને ખાંભા ની જનતા દ્વારા 2017માં જેને વિશાળ પ્રેમ આપ્યો છે તેવા અમરીશભાઈ ડેર દ્વારા પણ લોકોને સંબોધવામાં આવ્યા હતા અને આવનારા દિવસોમાં લોકોની સુખાકારી માટે શું કરી શકાય તે માટે તે પ્રયત્નશીલ છે અને હર હંમેશા તેઓ પ્રજાની સાથે રહ્યા છે અને ચૂંટણીમાં હાર જીત માં જે પરિણામ આવે તે તે હંમેશા લોકોની સાથે રહેશે અને 98 રાજુલા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવેલ કામોને લોકો સમક્ષ રાખ્યા હતા અને 2022 માં ફરી કોંગ્રેસ પક્ષ દ્વારા તેમને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે ત્યારે રાજુલાને ખાંભા ની જનતા ફરી તેમને વિજય બનાવે તેઓ વિશ્વાસ વ્યક્તિ હતો