Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

પરિક્રમાનો આજે મધ્યરાત્રીથી પ્રારંભ થાય એ પૂર્વે ત્રણેક લાખ યાત્રિકો ઉમટીયા

ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન ગિરનારની પરિક્રમા નો વિધિવત રીતે આવતીકાલે તારીખ 4 ના કારતક સુદ અગિયારસના મધ્યરાત્રી થી પ્રારંભ થશે પરંતુ ગઈકાલથી જ મોટી સંખ્યામાં યાત્રિકોએ ભવનાથ તળેટી અને આસપાસના વિસ્તારોમાં પડાવ નાખ્યો હતો અને પ્રવેશ દ્વાર ખોલવા માંગ કરી હતી ગતરાત્રિ દરમિયાન પણ તળેટી તરફ યાત્રીકોનો અવિરત પ્રવાહ વહેતો રહ્યો હતો જેને ધ્યાને લઈને આજે વહેલી સવારે 5:00 વાગ્યે પ્રવેશદ્વાર ખોલી નાખવામાં આવ્યો હતો. બાદમાં દસેક વાગ્યા સુધી ભારે ભીડ રહી હતી જ્યારે બપોર બાદથી મોડી રાત્રી સુધીમાં મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા હતા. વિધિવત પરિક્રમા શરૂ થાય એ પૂર્વે ત્રણ લાખયાત્રીકો ઉમટી પડ્યા હતા. વનવિભાગના ગણતરી પોઇન્ટ પર નોંધાયેલા આંકડા મુજબ આજે મોડી સાંજ સુધીમાં 50000 જેટલા યાત્રિકોએ નળપાણીની ઘોડી વટાવી લીધી હતી અને તેમાંથી મોટાભાગના લોકો અંતિમ પડાવ બોરદેવી પહોંચી ગયા હતા. તેઓ આવતીકાલે બપોર સુધીમાં પરિક્રમા પૂર્ણ કરી પરત તળેટી પહોંચી જશે આમ સવાર સાંજે પ્રવેશ દ્વાર પર યાત્રીકોનો ઘસારો જોવા મળ્યો હતો

संबंधित पोस्ट

ધોલેરા SIR ‘ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી’ ખાતે અત્યાર સુધીમાં રૂ. ૩૫,૯૮૪ કરોડથી વધુનું રોકાણ થયું: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

Gujarat Desk

ગોવામાં રહી ગુજરાતમાં દારૃનું નેટવર્ક ચલાવતો બિશ્નોઇ ગેંગના મુખ્ય સાગરીત ઝડપાયો

Gujarat Desk

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગમી 48 કલાક ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકવાની શક્યતા

Gujarat Desk

ખેડા એસઓજી પોલીસે નડિયાદમાં નકલી નોટો છાપવાની ફેક્ટરી ઝડપી

Gujarat Desk

રાજ્યની જનતાનો ગુજરાત બજેટ 2025-26ને ઉમળકાભેર આવકાર, દરેક ક્ષેત્ર અને વર્ગના લોકો માટે સંતોષકારક ગણાવ્યું

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગિફ્ટ સિટીમાં ઈન્ડીયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સિંગ સમિટનો પ્રારંભ

Gujarat Desk
Translate »