Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

પરિક્રમાનો આજે મધ્યરાત્રીથી પ્રારંભ થાય એ પૂર્વે ત્રણેક લાખ યાત્રિકો ઉમટીયા

ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન ગિરનારની પરિક્રમા નો વિધિવત રીતે આવતીકાલે તારીખ 4 ના કારતક સુદ અગિયારસના મધ્યરાત્રી થી પ્રારંભ થશે પરંતુ ગઈકાલથી જ મોટી સંખ્યામાં યાત્રિકોએ ભવનાથ તળેટી અને આસપાસના વિસ્તારોમાં પડાવ નાખ્યો હતો અને પ્રવેશ દ્વાર ખોલવા માંગ કરી હતી ગતરાત્રિ દરમિયાન પણ તળેટી તરફ યાત્રીકોનો અવિરત પ્રવાહ વહેતો રહ્યો હતો જેને ધ્યાને લઈને આજે વહેલી સવારે 5:00 વાગ્યે પ્રવેશદ્વાર ખોલી નાખવામાં આવ્યો હતો. બાદમાં દસેક વાગ્યા સુધી ભારે ભીડ રહી હતી જ્યારે બપોર બાદથી મોડી રાત્રી સુધીમાં મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા હતા. વિધિવત પરિક્રમા શરૂ થાય એ પૂર્વે ત્રણ લાખયાત્રીકો ઉમટી પડ્યા હતા. વનવિભાગના ગણતરી પોઇન્ટ પર નોંધાયેલા આંકડા મુજબ આજે મોડી સાંજ સુધીમાં 50000 જેટલા યાત્રિકોએ નળપાણીની ઘોડી વટાવી લીધી હતી અને તેમાંથી મોટાભાગના લોકો અંતિમ પડાવ બોરદેવી પહોંચી ગયા હતા. તેઓ આવતીકાલે બપોર સુધીમાં પરિક્રમા પૂર્ણ કરી પરત તળેટી પહોંચી જશે આમ સવાર સાંજે પ્રવેશ દ્વાર પર યાત્રીકોનો ઘસારો જોવા મળ્યો હતો

संबंधित पोस्ट

તાલાલા પંથકનાં 4 ગામના લોકો દ્વારા મતદાન બહિષ્કાર કરાશે .

Admin

વડોદરા: વડોદરામાં રિક્ષા અને કાર વચ્ચે ભયંકર અકસ્માત, રિક્ષાના કુરચે કુરચા ઊડ્યા, 3 બાળકો સહિત પરિવારના 5 સભ્યોના મોત

Admin

ગુજરાતની જેલમાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનના મામલે CMને સોંપવામાં આવી શકે છે રીપોર્ટ, લેવાઈ શકે છે પગલા

Karnavati 24 News

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: 9 વાગ્યા સુધીમાં 4.92 ટકા મતદાન થયું; પીએમ મોદીએ ટ્વિટ કરીને લોકોને વોટ કરવા અપીલ કરી

Admin

રાજકોટનાં દૂધસાગર રોડ પરથી ઝડપાયો દારૂ ભરેલ વાહન: ૭ લાખથી વધુ કિંમતની દારૂની બોટલો કરી જપ્ત

Admin

ભરૂચ જિલ્લા ની પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપ દ્વારા સેન્સ લેવાની પક્રિયા શરૂ કરાઇ

Admin