ભારતના નામાંકિત મુખ્ય ન્યાયાધીશ (CJI) ધનંજય યશવંત ચંદ્રચુડને પદના શપથ લેતા રોકવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે શપથ રોકવાની અરજી ફગાવી દીધી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરજી પર સુનાવણી કરવાનું કોઈ કારણ દેખાતું નથી. સાથે જ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે અરજી સંપૂર્ણપણે ભ્રામક છે. તેથી, આ વિશે વધુ સુનાવણી કરવાનો કોઈ અર્થ નથી.
કોર્ટમાં CJIએ કાઉન્સિલને પૂછ્યું કે જો તમારી પાસે કેટલાક તથ્યો છે તો અમે તમને સાંભળવા તૈયાર છીએ. તેના જવાબમાં કાઉન્સિલે કહ્યું કે મહેરબાની કરીને તમે મારી લેખિત રજૂઆતના આધારે નિર્ણય લો.
કોર્ટે અરજી ફગાવી દીધી
ત્યારે વર્તમાન CJIએ કહ્યું કે આ બાબતનો ઉલ્લેખ સવારે તાત્કાલિક લિસ્ટિંગ માટે કરવામાં આવ્યો હતો. અરજીમાં રાહતની માંગણી પ્રકૃતિને ધ્યાનમાં રાખીને, મામલાનો ઉલ્લેખ કરનારા વકીલને બપોરે 12:45 વાગ્યે રજૂઆત કરવાની મંજૂરી આપવામાં આવી. અમારી સમક્ષ 12:45 વાગ્યે મામલો દાખલ કરવા માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો. દરેકની વાત સાંભળ્યા પછી, અમને જાણવા મળ્યું કે સમગ્ર અરજી પર વિચાર કરવાનો કોઈ અર્થ નથી. તેથી અમે આ અરજીને ફગાવીએ છીએ.
9 નવેમ્બરે શપથ લેશે
જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ થોડા દિવસો પહેલા જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડને દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. નોટિફિકેશન અનુસાર જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ 9 નવેમ્બરથી CJI તરીકેનો કાર્યભાર સંભાળશે. જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડ 9 નવેમ્બર 2022ના રોજ શપથ લેશે અને 10 નવેમ્બર 2024ના રોજ નિવૃત્ત થશે. તેઓ 50મા મુખ્ય ન્યાયાધીશ હશે.