Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

મોરબી એસપી કાર્યાલય ખાતે પીએમ મોદીએ બેઠક કરી, આપ્યા આ સૂચનો

મોરબી એસપી કાર્યાલય ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે અધિકારીઓએ પીડિત પરિવારો સાથે સંપર્કમાં રહેવું જોઈએ અને આ દુઃખની ઘડીમાં તેમને શક્ય તમામ મદદ મળે તે તમામ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

આ ઉપરાંત એસપી ઓફીસે અધિકારીઓએ વડા પ્રધાન મોદીને બચાવ કામગીરી અને અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી રહેલી સહાય વિશે માહિતી આપી હતી. પીએમ મોદીએ વિગતવાર અને વ્યાપક તપાસ કરવાની સલાહ આપી છે. પીએમ મોદીએ કહ્યું કે અધિકારીઓએ પીડિત પરિવારોના સંપર્કમાં રહેવું જોઈએ અને તે સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓને દુઃખની આ ઘડીમાં શક્ય તમામ મદદ કરે. અધિકારીઓ દ્વારા પીએમને અહીંની તમામ ઘટનાઓની રજેરજની માહિતી આપવામાં આવી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબીમાં સૌ પહેલા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં ઈજાગ્રસ્તો છે તેમની સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના હાલચાર પૂછ્યા હતા અને દર્દીઓને સાંત્વના આપી હતી. મોરબી એસપી ઓફિસ પર જઈને વડાપ્રધાને બેઠક કરી હતી.

ત્યાં જઈ રીવ્યૂ બેઠકમાં તમામ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મોરબીમાં સર્જાયેલી ભયંકર દુર્ઘટના બાદ સમગ્ર પંથકમ શોકમય બન્યું છે અને બુધવારે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે.

संबंधित पोस्ट

કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના ૪૩,૦૦૦થી વધુ લાભાર્થીઓને રૂ. ૪૯.૫૬ કરોડથી વધુની સહાય ચૂકવાઈ

Gujarat Desk

પાટણ શહેર ના પંચોલી પાડા વિસ્તારમાં રૂપિયા 12 લાખના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું

Karnavati 24 News

ભારતના અંદાજિત 5 લાખથી વધુ લોકોને પ્રોસ્થેટિક, ઓર્થોટિક ડિવાઈસીસની જરૂર

Karnavati 24 News

વિધવા મહિલાઓની પડખે ગુજરાત સરકાર: ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં ગત વર્ષની સરખામણીએ ₹700 કરોડનો વધારો, વર્ષ 2025-26નું બજેટ ₹3015 કરોડ

Gujarat Desk

 દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખ્રીસ્તી સમાજના ભાઇ બહેનોને નાતાલની શુભેચ્છાઓ પાઠવી

Karnavati 24 News

નવસારી જિલ્લાના જલાલપોર ખાતે સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત ૫ એમ્બ્યુલન્સ અને ૧૩ સ્વચ્છતા અભિયાન માટે ગાડી નું વિતરણ

Gujarat Desk
Translate »