મોરબી એસપી કાર્યાલય ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે અધિકારીઓએ પીડિત પરિવારો સાથે સંપર્કમાં રહેવું જોઈએ અને આ દુઃખની ઘડીમાં તેમને શક્ય તમામ મદદ મળે તે તમામ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
આ ઉપરાંત એસપી ઓફીસે અધિકારીઓએ વડા પ્રધાન મોદીને બચાવ કામગીરી અને અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી રહેલી સહાય વિશે માહિતી આપી હતી. પીએમ મોદીએ વિગતવાર અને વ્યાપક તપાસ કરવાની સલાહ આપી છે. પીએમ મોદીએ કહ્યું કે અધિકારીઓએ પીડિત પરિવારોના સંપર્કમાં રહેવું જોઈએ અને તે સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓને દુઃખની આ ઘડીમાં શક્ય તમામ મદદ કરે. અધિકારીઓ દ્વારા પીએમને અહીંની તમામ ઘટનાઓની રજેરજની માહિતી આપવામાં આવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબીમાં સૌ પહેલા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં ઈજાગ્રસ્તો છે તેમની સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના હાલચાર પૂછ્યા હતા અને દર્દીઓને સાંત્વના આપી હતી. મોરબી એસપી ઓફિસ પર જઈને વડાપ્રધાને બેઠક કરી હતી.
ત્યાં જઈ રીવ્યૂ બેઠકમાં તમામ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મોરબીમાં સર્જાયેલી ભયંકર દુર્ઘટના બાદ સમગ્ર પંથકમ શોકમય બન્યું છે અને બુધવારે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે.