Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

ઓસ્ટ્રેલિયા સામે અંતિમ ટી-20 મેચ પહેલા બીમાર હતો સૂર્યકુમાર યાદવ, મેચ પછી કર્યો ખુલાસો

ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ T20I સીરિઝની ડિસાઇડર મેચ પહેલા બીમારીનો સામનો કર્યો હતો પરંતુ તેને હરાવ્યા બાદ તેમણે ઓસ્ટ્રેલિયાને હરાવવાનો પ્લાન બનાવ્યો હતો. મેચ બાદ તેમણે ખુલાસો કર્યો કે તેમણે ડૉક્ટર અને ફિઝિયોને તેમણે દવા અથવા ઇન્જેક્શન આપવા કહ્યુ હતુ પરંતુ તેમણે હૈદરાબાદમાં ત્રીજી મેચ માટે તૈયાર કરવા માટે પણ કહ્યુ હતુ.

સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવીને ટી-20 શ્રેણી 2-1થી જીતવામાં મદદ કરી હતી. સૂર્યકુમાર યાદવે વિરાટ કોહલી સાથે ત્રીજી વિકેટ માટે 104 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી જેનાથી ભારતને શરૂઆતના પતનમાંથી બહાર ઉગારવામાં મદદ કરી હતી. અક્ષર પટેલે બીસીસીઆઇનો એક વીડિયોમાં સૂર્યકુમાર યાદવને સવાલ કર્યો કે ફિઝિયો રૂમમાં દરેક કોઇ તેમના વિશે કેમ વાત કરી રહ્યો હતો અને તે સવારે 3 વાગ્યે કેમ ઉઠ્યા?

અક્ષર પટેલને જવાબ આપતા સૂર્યકુમાર યાદવે કહ્યુ, ગત રાત્રે હવામાન બદલાઇ ગયુ હતુ અને મુસાફરીમાં પણ બદલાવ આવ્યો છે. આ બધાને કારણે મને પેટમાં દુખાવો થયો હતો અને પછી તાવ પણ આવ્યો હતો પરંતુ સાથે મને ખબર હતી કે આ એક નિર્ણાયક મેચ હતી, માટે મે પોતાના ડૉક્ટર અને ફિઝિયોને કહ્યુ કે જો વર્લ્ડકપ ફાઇનલ હોત તો હું કેવી રીતે રિએક્ટ કરીશ? હું બીમારી સાથે બહાર બેસવા માંગતો નહતો, તો તમારે જે પણ કરવુ પડે કરો, મને કોઇ દવા અથવા ઇન્જેક્શ આપો, પરંતુ મને સાંજની મેચ માટે તૈયાર કરો. એક વખત જ્યારે હું (ભારત) જર્સીમાં મેદાન પર હોઉં છુ તો મારી માટે એક અલગ ઇમોશન હોય છે.

મહત્વપૂર્ણ છે કે સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા સામે હૈદરાબાદમાં રમાયેલી મેચમાં 69 રનની ઇનિંગ રમી હતી અને ભારતને મેચ જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

संबंधित पोस्ट

IND vs SA: શું વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટમાં રમશે? કોચ રાહુલ દ્રવિડે આપ્યું મોટું અપડેટ

Karnavati 24 News

રોહિતે સિક્સર ફટકારી ત્યારે રણવીર સિંહ ચોંકી ગયોઃ ગુજરાત સામેની મેચમાં મુંબઈનો ઉત્સાહ, સમગ્ર મેચમાં પ્રભુત્વ

રવિન્દ્રસિંહ જાડેજાઃ અલ્લુ અર્જુનના અવતારમાં જોવા મળતા પુષ્પાના ‘ભૂત’ પર સવાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની તસવીર વાયરલ

Karnavati 24 News

IND vs SA: શાર્દુલ ઠાકુર કહે છે 7 વિકેટ લેવા છતાં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બાકી, ‘તિરાડે’ સફળતા અપાવી

Karnavati 24 News

હાર્દિકની ફિલ્ડિંગ પર સ્ટેડિયમમાં હાસ્યનો ગુંજ: સરળ કેચ પકડતી વખતે લપસી ગયો, બોલ બાઉન્ડ્રી ક્રોસ કરી

Karnavati 24 News

વિરાટ કોહલી વિશે આફ્રિદીનું મોટું નિવેદન : કહ્યું- ક્રિકેટમાં સમય પસાર કરી રહ્યો છે વિરાટ, વલણ પર ઉઠાવ્યા સવાલ

Karnavati 24 News
Translate »