Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

ઓડિશામાં 150થી વધુ માઓવાદી સમર્થકોએ સરહદ સુરક્ષા દળ અને સ્થાનિક પોલીસ સમક્ષ કર્યું આત્મસમર્પણ

ઓડિશાના મલકાનગિરી જિલ્લામાં 150થી વધુ માઓવાદી સમર્થકોએ સરહદ સુરક્ષા દળ અને સ્થાનિક પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ વાધવાણીએ કહ્યું કે, ઓડિશા પોલીસની ઘર વાપસી પહેલ હેઠળ માઓવાદી આતંકથી પ્રભાવિત ગામોને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવી રહ્યા છે. આ પ્રયાસ હેઠળ માઓવાદીઓનો ગઢ ગણાતા રાલેગડા ગામને માઓવાદીઓથી મુક્ત કરવામાં આવ્યું છે.

BSFના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ એસ.કે. સિંહાએ જણાવ્યું હતું કે દળની મજબૂત હાજરીથી લોકોમાં માઓવાદીઓ સામે અવાજ ઉઠાવવા માટે વિશ્વાસ જગાડવામાં આવ્યો છે. નવા જીવનની શરૂઆત કરવા માટે મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાનો સંકલ્પ કરનારાઓને તમામ પ્રકારની મદદ આપવામાં આવી રહી છે. અગાઉ 2 જૂન, 50 અને 11 જૂનના રોજ, 397 માઓવાદી સમર્થકોએ મલકાનગિરીમાં આત્મસમર્પણ કર્યું હતું.

છોકરાના પેશાબનો વીડિયો શેર કરવા બદલ બે પર POCSO હેઠળ કેસ

મુલુંડના પૂર્વ ઉપનગરમાં એક હાઉસિંગ સોસાયટીના સેક્રેટરી અને સભ્ય પર POCSO એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપ છે કે, તેણે સોસાયટીના સભ્યોના મેસેજ ગ્રુપ પર બિલ્ડિંગની સીડી પર પેશાબ કરતા નવ વર્ષના છોકરાનો વીડિયો શેર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બંનેએ CCTV ફૂટેજમાંથી વીડિયો મેળવ્યો હતો, જે બાદમાં ગ્રુપમાં શેર કરવામાં આવ્યો હતો.

2030 સુધીમાં દર વર્ષે 17 મિલિયનથી વધુ ઈ-વાહનોનું થશે વેચાણ 

2030 સુધીમાં દેશમાં દર વર્ષે 17 મિલિયનથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થશે. ઈન્ડિયા એનર્જી સ્ટોરેજ એલાયન્સ (IESA)એ મંગળવારે જણાવ્યું હતું કે, ઘરેલું EV ઉદ્યોગ 2021 અને 2030ની વચ્ચે વાર્ષિક 49% ના દરે વૃદ્ધિ પામે તેવી અપેક્ષા છે.

રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઈંધણના વધતા ભાવ, નવી કંપનીઓની એન્ટ્રી, ઈવી ટેક્નોલોજીમાં પ્રગતિ, કેન્દ્ર અને રાજ્ય સરકારોની સતત સબસિડી ઈવી ઉદ્યોગને વેગ આપશે. આ ઉપરાંત, ઉત્સર્જન ધોરણોના અમલીકરણથી પણ આને પ્રોત્સાહન મળશે.

संबंधित पोस्ट

UK ના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન આજથી બે દિવસની ભારતની મુલાકાતે..

Karnavati 24 News

હેરિએટ જહાજને ક્લીયરન્સ બાદ અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.114માં બીચ કરવામાં આવ્યું

Karnavati 24 News

કોરોનાનો નવો વેરિએન્ટ: બાળકોમાં જોવા મળી રહ્યા છે આ લક્ષણો, ઇગ્નોર ના કરતા નહિં તો..

Karnavati 24 News

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વના સૌથી મોટાં હર ઘર તિરંગા અભિયાનમાં પ્રબળ દેશભક્તિ સાથે જોડાવા માટે આહવાન કરતાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી નદી, દરિયો, જંગલ, રણ આ તમામ જગ્યાએ દેશભક્તિ પ્રગટાવ

Karnavati 24 News

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

નેશનલ ફુડ સિક્યોરિટી મિશન માં ભરતી ની જાહેરાત સામે આવી

Karnavati 24 News