Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

કામની વાત/ નિષ્ક્રિય બેંક અકાઉન્ટમાંથી પણ રૂપિયા ઉપાડી શકશો, શું છે રીત અને કેવા ડોક્યુમેન્ટની પડશે જરૂર

ભારતીય રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર જો કોઈ ગ્રાહક પોતાના ખાતામાંથી 10 વર્ષ સુધી કોઈ લેવડદેવડ નથી કરતા તો તે ખાતામાં રહેલ રકમ અનક્લેમ્ડ થઈ જાય છે. જે ખાતામાંથી લેવડદેવડ નથી થતી, તે નિષ્ક્રિય થઈ જાય છે. અનક્લેઈમ્ડ રમક બચત ખાતા, ચાલૂ ખાતા, ફિક્સ્ડ ડિપોઝિટ અને રેકરિંગ ડિપોઝિટ ખાતામાં થઈ શકે છે. અનક્લેઈમ્ડ રકમને રિઝર્વ બેંક ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેયરનેસ ફંડમાં નાખી દે છે.

બેંકોને દર વર્ષે દાવા રહિત રકમમાં વધારો થઈ રહ્યો છે. નાણાકીય વર્ષ 2021માં આ રકમ 39,264 કરોડ રૂપિયા હતી. નાણાકીય વર્ષ 2019ના અંત સુધીમાં બેંકોમા આ આંકડો 18,380 કરોડ રૂપિયા હતો. સેવિંગ અને કરંટ અકાઉન્ટમાં જો બે વર્ષ સુધી કોઈ લેવડદેવડ ન કરવામાં આવે તો, અકાઉન્ટ નિષ્ક્રિય થઈ જાય છે. આવી જ રીતે એફડી અને આરડી ખાતામાં જો મેચ્યોરિટીના બે વર્ષ બાદ લેવડદેવડ ન થાય તો, તે અનક્લેઈમ્ડ થઈ જાય છે. જો અકાઉન્ટ આઠ વર્ષથી નિષ્ક્રિય હોય છે, તે અકાઉન્ટમાં પડેલી રકમને ડીઈએએફમાં મોકલી દેવામાં આવે છે.

શા માટે વધી રહી છે અનક્લેમ્ડ રકમ

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર અનક્લેમ્ડ રકમ એટલા માટે વધી રહી છે કારણ કે ઘણા બધા ખાતા લાંબા સમયથી નિષ્ક્રિય પડ્યા છે. દર વર્ષે આવા ખાતામાંથી પૈસા ડીઈએએફમાં જાય છે. કોઈ બેંક અકાઉન્ટ નિષ્ક્રિય થઈ જાય તો, કેટલાય કારણો હોય છે. જેમ કે અકાઉન્ટ હોલ્ડરનું મોત થઈ જવું, પરિવારના લોકોને અકાઉન્ટ વિશે જાણકારી ન હોવી. ખોટુ સરનામુ અથવા તો ખાતામાં નોમિની ન હોવા.

કેવી રીતે કરશો ક્લેઈમ

જો કોઈ નિષ્ક્રિય અકાઉન્ટના ડોક્યુમેન્ટમાાં કોઈ નોમિનીનું નામ નોંધાયેલુ હોય તો નોમિની સરળતાથી અનક્લેઈમ્ડ રકમ પર દાવો કરી શકે છે. નોમિનીને ખાતાધારકનું મૃત્યુ પ્રમાણપત્ર આપવાનું રહેશે. સાથે જ કેવાયસી ડોક્યુમેન્ટ પણ આપવાના રહેશે. જો જોઈન્ટ અકાઉન્ટ હોય તો, બેંક જે અકાઉન્ટ હોલ્ડરનું મોત થઈ ચુક્યું છે. તેનુ નામ હટાવી દેશે અને જીવીત અકાઉન્ટ હોલ્ડરને તમામ અધિકાર આપી દેશે.

संबंधित पोस्ट

મોંઘવારીથી RBI લાચારઃ તમારી લોન મોંઘી થશે, રિઝર્વ બેંકે ઈમરજન્સી મીટિંગમાં રેપો રેટ 4% થી વધારી 4.40% કર્યો

ચીનની મોબાઈલ કંપનીઓ MI અને Oppo ભારતમાં અબજો રૂપિયાની છેતરપિંડી કરે છે?

Karnavati 24 News

બજેટ 2022: સામાન્ય લોકોના ખિસ્સા પર શું અસર થશે? કઈ વસ્તુઓ ખરીદવી સસ્તી કે વધુ મોંઘી હશે તે શોધો

Karnavati 24 News

શેરબજાર: બે દિવસ બાદ બજારમાં રોનક, સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ મજબૂત, નિફ્ટી 16,900ને પાર

Karnavati 24 News

અદાણી ગ્રુપના આ 4 શેર છેલ્લા 6 મહિનાથી લૂંટાઈ રહ્યા છે, 99થી વધીને 226 ટકા થઈ ગયા

Karnavati 24 News

જાહેર ક્ષેત્રની કંપની તેના રોકાણકારોને દરેક બે શેર માટે એક બોનસ શેર આપશે, એક્સ બોનસ તારીખે ભાવ વધે

Karnavati 24 News