Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

સહારા ઇન્ડિયામાં પૈસા ફસાયા છે? તો હવે પૈસા મળશે પરત, સરકારે આ કાર્યવાહી ચાલુ કરી

જો તમે પણ સહારા ઇન્ડિયાની કોઇ સ્કીમમાં રોકાણ કર્યું છે અને હવે પૈસા પાછા મેળવવા માંગો છો તો સરકાર પૈસા પરત કરવા માટે હવે પ્રયાસ કરી રહી છે. જો કે આ વચ્ચે આ સમાચાર તમને રાહત આપી શકે છે. સહારા ઇન્ડિયાના રિફંડને લઇને કેન્દ્ર સરકાર અત્યારે એક્શનમાં છે. કેન્દ્ર સરકાર તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

12 કરોડ રૂ.નો દંડ ફટકાર્યો

માર્કેટ નિયામક સેબીએ સહારા ગ્રૂપની બે કંપનીઓ, સુબ્રતો રોય અને 3 અન્ય લોકો પર 12 કરોડ રૂપિયાનો મોટો દંડ ફટકાર્યો છે. આપને જણાવી દઇએ કે સરકારે જાણકારી આપી છે કે સહારા ઇન્ડિયાના રોકાણકારોને પૈસા ક્યારે પાછા મળી શકે છે.

કરોડો રૂપિયા પરત કર્યા

કેન્દ્ર સરકારે સહારા ઇન્ડિયા વિશે જણાવ્યું કે, અત્યાર સુધી સેબી સહારાના રોકાણકારોના વ્યાજ સહિત કુલ 138.07 કરોડ રૂપિયા જ પરત કરી શકી છે. સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડે 232.85 લાખ રોકાણકારો પાસેથી 19400.87 કરોડ રૂપિયા અને સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડે 75.14 લાખ રોકાણકારો પાસેથી 6380.50 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. એટલે કે હજુ પણ રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયેલા છે.

આટલા પૈસા થયા રિફંડ

સુપ્રીમ કોર્ટે, 31 ઓગસ્ટ, 2012ના રોજ આદેશ આપ્યો હતો. ત્યારબાદ સહારા ઇન્ડિયાએ રોકાણકારો પાસેથી લીધેલા 25,781.37 કરોડ રૂપિયાની મૂળ રકમને બદલે 31 ડિસેમ્બર, 2021 સુધી સેબી સહારા રિફંડ ખાતામાં 15,503.69 કરોડ રૂપિયા જમા કર્યા છે. નાણા મંત્રાલયના સૂત્રો અનુસાર, સેબીને 81.07 કરોડ રૂપિયાની કુલ મૂળ રકમ માટે 53,642 ઓરીજીનલ બોન્ડ સર્ટિફિકેટ/પાસ બુકથી જોડાયેલા 19,644 અરજી મળી છે. સેબીએ 138.07 કરોડ રૂપિયાની કુલ રકમ 48,326 ઓરીજીનલ બોન્ડ સર્ટિફિકેટ/પાસબુક વાળી 17,526 એલિજીબલ બોન્ડહોલ્ડર્સને રિફંડ કર્યું છે.

संबंधित पोस्ट

દેશની ફોરેન કરન્સી રિઝર્વમાં ત્રણ સપ્તાહના ઘટાડા બાદ ફરી વધારો

Karnavati 24 News

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ ગોલ્ફ કાર્ટમાં બેસી સમગ્ર વટેશ્વર વનનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું, પ્રદર્શિત શિલ્પો અને ચિત્રો અંગે વિગતવાર માહિતી મેળવી

Karnavati 24 News

શેરબજાર: બજેટ પહેલા 5 દિવસમાં સેન્સેક્સ 2900 પોઈન્ટ ઘટ્યો, રોકાણકારો માટે સસ્તા ભાવે ઊંચા મૂલ્યના શેર ખરીદવાની તક?

Karnavati 24 News

મોટો ઝટકો/ એક મહિનામાં આ 5 મોટી બેંકોએ હોમ લોનના વ્યાજદર વધારી દીધા, ગ્રાહકોને લાગ્યો તગડો ઝટકો

Karnavati 24 News

ક્રિપ્ટો માર્કેટમાં ઘટાડો ચાલુ: બિટકોઈન 61 હજાર અને ઈથેરિયમમાં અઢી હજાર રૂપિયાથી વધુનો ઘટાડો, ડોજકોઈન અને યુએસડીનો સિક્કો વધ્યો

Karnavati 24 News

શેર માર્કેટ ધામ: સેન્સેક્સ 1016 પોઈન્ટના ઘટાડા સાથે 54303 પર બંધ, આઈટી અને બેન્કિંગ શેરો સૌથી વધુ તૂટ્યા

Karnavati 24 News
Translate »