Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

શહેરના રિંગરોડ સ્થિત સબજેલની જમીન ઉપર પાલિકાના નવા વહીવટી ભવનને રાજ્ય સરકારે મંજૂરીની મ્હોર મારી

શહેરના રિંગરોડ સ્થિત સબજેલની જમીન ઉપર પાલિકાના નવા વહીવટી ભવનને રાજ્ય સરકારે મંજૂરીની મ્હોર મારી

સુરત શહેરમાં રાજ્યની સૌથી ઊંચી સરકારી ઇમારત બનાવવાનો માર્ગ મોકળો થયો છે. પાલિકાના નવા આઇકોનિક વહીવટ ભવનની ડિઝાઇનને રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સ્પેશ્યલ ટેકનિકલ કમિટી (STC) દ્વારા શુક્રવારે ગ્રીન સિગ્નલ અપાયું હતું. પાલિકાના નવા આઇકોનિક બિલ્ડિંગની ડિઝાઇનને મંજૂરની મ્હોર મારતા પહેલા તમામ બાબતોનો પુખ્ત વિચાર કરવામાં આવ્યો છે. ચોક્કસ ટેકનિકલ બાબતોની પૂર્તતા કરવા વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બાબતે અત્યાર સુધી ગાંધીનગર ખાતે યોજાયેલી વિવિધ બેઠકોમાં ઉપસ્થિત મ્યુ. કમિશનર બંછાનિધિ પાની તથા બિલ્ડિંગનું સ્ટ્રક્ચર ડિઝાઇન કરનારા ઝ્રસ્ડ્ઢ કન્સલટન્ટ દ્વારા તમામ બાબતોનો વિસ્તૃત અને ઊંડાણપૂર્વકનો જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. તમામ તૂટીઓ કહો કે ક્વેરીઓ ગત સપ્તાહે જ પૂર્ણ થઇ હતી. સ્પેશ્યલ ટેક્નિકલ કમિટી દ્વારા આગામી તા. 8મી જુલાઇના રોજ પાલિકાના આઇકોનિક ભવનને મુદ્દે ફાઇનલ બેઠક બોલાવી છે.

શુક્રવારે ઓનલાઇન યોજાયેલી આ બેઠકમાં સ્પેશ્યલ ટેકનિકલ કમિટીએ પ્રોજેક્ટને સત્તાવાર બહાલી આપી હતી. આ સાથે જ વર્ષોથી કાગળ ઉપર ચાલી રહેલું પ્લાનિંગ હવે હકીકત બનવા તરફ વધુ એક ડગલું આગળ વધ્યું છે. રૂપિયા 950 કરોડથી વધુ રકમના ખર્ચે તૈયાર થનારા આઇકોનિક ટાવરમાં ત્રણ પોડિયમ ફલોર હશે. બંને ટાવરની ઊંચાઇ 108 મીટર અને ફલોર 28 હશે. રિંગરોડ તરફના ભાગે પાલિકાનું વહીવટી ભવન બનશે. પાછળના ટાવરમાં અન્ય સરકારી વિભાગોની ઓફિસો કાર્યરત થશે. પ્રોજેક્ટને બહાલી આપતા પહેલા બંને ટાવરની ડિઝાઇનમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો હતો. જેને પગલે લોડ ફેક્ટરમાં પણ વધારો થયો હતો. ઇમારતની મજબૂતાઇને ધ્યાનમાં લેતા કમિટીએ અગાઉ 1.0ના લોડ ફેકટરને વધારી 1.3 કર્યું છે. જેથી બિલ્ડિંગ પહેલા કરતા વધુ મજબૂત બનશે. તેવો તંત્ર દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

संबंधित पोस्ट

ગારીયાધાર ના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી મહુવા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ઉપસ્થિત

Karnavati 24 News

જૂનાગઢ મહાનગરપાલિકાનુ ઘર સફાઈ દિવાબતી અને ગાર્બેજ કલેકશન વેરામાં વધારાની દરખાસ્ત સાથેનું બજેટ રજુ

Karnavati 24 News

મોડાસાના કોલીહાર્ડ પાસે એક મહિલા બાઇકરનો સોનાનો દોરો ખડકાયો . .

Admin

સુરત ના વરાછા ઝોન ઓફિસ ખાતે સોસાયટી રહીશો નો મોરચો

Karnavati 24 News

 જામનગરમાં ઈશુના જન્મ દિવસના વધામણાં કરવા થનગનાટ

Karnavati 24 News

 જામનગરવાસીઓને થયો હિલ સ્ટેશનનો અહેસાસ, શહેર ધુમ્મસની આગોસમાં

Karnavati 24 News