આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની જોડી બી-ટાઉનના સૌથી અદભૂત અને શક્તિશાળી યુગલોમાંથી એક છે. બંને 14 એપ્રિલ 2022ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. હવે ટૂંક સમયમાં બંને માતા-પિતા બનવાના છે. ઋષિ કપૂર ભલે તેમના પૌત્રને જોવા માટે દુનિયામાં ન હોય, પરંતુ આલિયા ભટ્ટ સાથે લગ્ન કરવાના લગભગ 11 વર્ષ પહેલાં, દિવંગત અભિનેતાએ તેમના પુત્ર રણબીર કપૂરને એક સલાહ આપી હતી. ત્યારે રણબીર આલિયા સાથે રિલેશનશીપમાં ન હતો, પરંતુ તેને ઋષિ પાસેથી સલાહ મળી કે તેણે તેના જીવનસાથીની પસંદગીમાં ધ્યાન કેમ રાખવું જોઈએ. એટલું જ નહીં ઋષિ કપૂરે પોતાના ભાવિ પૌત્ર અને કપૂર પરિવારના વારસદાર વિશે પણ વાત કરી હતી.
11 વર્ષ પહેલા રણબીરને સલાહ મળી હતી
ઇન્સ્ટાગ્રામ પર ચાહકોને આ ખુશખબર આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે રણબીર કપૂર વર્ષ 2011માં સિમી ગરેવાલના ચેટ શો ‘ઈન્ડિયાઝ મોસ્ટ ડિઝાયરેબલ’માં જોવા મળ્યો હતો. આ દરમિયાન ઋષિ કપૂરે વીડિયો રેકોર્ડિંગ દ્વારા રણબીર માટે એક મેસેજ શેર કર્યો હતો. તેણે કહ્યું હતું, ‘તમારે તમારું જીવન જીવવું પડશે અને તમારે તે વ્યક્તિ સાથે તમારું જીવન જીવવું પડશે. તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે, તે છોકરી તમારા બાળકોની માતા બનશે જેના પરદાદા રાજ કપૂર હશે. મારો પૌત્ર હશે.
કપૂર પરિવારમાં ખુશીનો માહોલ છે
ઋષિ પણ ઇચ્છતા હતા કે રણબીર લગ્ન કરે જેથી તે તેના પૌત્રોને જોઈ શકે. પરંતુ પીઢ અભિનેતા વર્ષ 2020માં કેન્સર સાથે એક વર્ષથી વધુ લાંબી લડાઈ પછી મૃત્યુ પામ્યા. જ્યારથી આલિયા અને રણબીરે માતાપિતા બનવાના સારા સમાચાર સંભળાવ્યા છે, ત્યારથી તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે. તેની માતા નીતુ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર કપલનો રોમેન્ટિક ફોટો શેર કર્યો છે. આ સિવાય રણબીરની બહેન રિદ્ધિમા કપૂરે પણ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર બંનેની તસવીર શેર કરી છે.