Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

T20 વર્લ્ડકપ પછી ન્યૂઝીલેન્ડ જશે ટીમ ઇન્ડિયા, કાર્યક્રમ થયો જાહેર

ક્રિકેટ ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમ માટે આવનારા 5-6 મહિના મેચથી ભરપૂર રહેવાના છે. કેટલાક દિવસ બાદ ઇંગ્લેન્ડનો પ્રવાસ શરૂ થઇ રહ્યો છે, તે બાદ પણ કેટલીક સીરિઝ, એશિયા કપ અને પછી ટી-20 વર્લ્ડકપ છે. ટી-20 વર્લ્ડકપ બાદ ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ છે, જેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.ભારત ન્યૂઝીલેન્ડમાં 3 વન ડે અને 3 ટી-20ની સીરિઝ રમશે. આ સીરિઝ 18 નવેમ્બરથી શરૂ થશે અને 30 નવેમ્બર સુધી રમાશે. કારણ કે ટી-20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં છે અને ન્યૂઝીલેન્ડ પાસે જ છે, એવામાં ટીમ ઇન્ડિયા એક જ વખતમાં આ મિશન પૂર્ણ કરીને આવશે.ભારત વર્સિસ ન્યૂઝીલેન્ડ18 નવેમ્બર, 2022, પ્રથમ ટી-2020 નવેમ્બર, 2022 બીજી ટી-2022 નવેમ્બર 2022, ત્રીજી ટી-2025 નવેમ્બર, 2022, પ્રથમ વન ડે27 નવેમ્બર, 2022, બીજી વન ડે30 નવેમ્બર, 2022, ત્રીજી વન ડેમહત્વપૂર્ણ છે કે ટી-20 વર્લ્ડકપ 16 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યો છે જ્યારે ફાઇનલ મેચ 13 નવેમ્બરે રમાશે. જો ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોચે છે તો તેને ન્યૂઝીલેન્ડ સીરિઝ માટે 5 દિવસનો સમય મળશે. કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં હજુ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડમાં છે, જ્યા તે ટેસ્ટ, વન ડે અને ટી-20 સીરિઝ રમશે.

संबंधित पोस्ट

અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ટીમ ઈન્ડિયા, 4 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડીમમાં ક્રિકેટ મેચ

Admin

આ મારા દ્વારા જોવામાં આવેલી ટેસ્ટની સૌથી શાનદાર ભાગીદારી, જાડેજા-પંતની ભાગીદારી પર એબીડી વિલિયર્સ

Karnavati 24 News

IPL 2022: પંજાબ કિંગ્સ શિખર ધવન નહી આ સ્ટાર બેટ્સમેનને બનાવશે કેપ્ટન, જેને ટીમે 12 કરોડમાં રિટેન કર્યો હતો

Karnavati 24 News

मुख्यप कोच राहुल द्रविड़ को हुआ कोरोना, नहीं जाएंगे एशिया कप में

Karnavati 24 News

કચ્છના ગૌરવ આદિત્યરાજસિંહ જાડેજા ની રણજી ટ્રોફી માટે પસંદગી થઇ

Karnavati 24 News

રોહિતે સિક્સર ફટકારી ત્યારે રણવીર સિંહ ચોંકી ગયોઃ ગુજરાત સામેની મેચમાં મુંબઈનો ઉત્સાહ, સમગ્ર મેચમાં પ્રભુત્વ

Translate »