Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

T20 વર્લ્ડકપ પછી ન્યૂઝીલેન્ડ જશે ટીમ ઇન્ડિયા, કાર્યક્રમ થયો જાહેર

ક્રિકેટ ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમ માટે આવનારા 5-6 મહિના મેચથી ભરપૂર રહેવાના છે. કેટલાક દિવસ બાદ ઇંગ્લેન્ડનો પ્રવાસ શરૂ થઇ રહ્યો છે, તે બાદ પણ કેટલીક સીરિઝ, એશિયા કપ અને પછી ટી-20 વર્લ્ડકપ છે. ટી-20 વર્લ્ડકપ બાદ ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ છે, જેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.ભારત ન્યૂઝીલેન્ડમાં 3 વન ડે અને 3 ટી-20ની સીરિઝ રમશે. આ સીરિઝ 18 નવેમ્બરથી શરૂ થશે અને 30 નવેમ્બર સુધી રમાશે. કારણ કે ટી-20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં છે અને ન્યૂઝીલેન્ડ પાસે જ છે, એવામાં ટીમ ઇન્ડિયા એક જ વખતમાં આ મિશન પૂર્ણ કરીને આવશે.ભારત વર્સિસ ન્યૂઝીલેન્ડ18 નવેમ્બર, 2022, પ્રથમ ટી-2020 નવેમ્બર, 2022 બીજી ટી-2022 નવેમ્બર 2022, ત્રીજી ટી-2025 નવેમ્બર, 2022, પ્રથમ વન ડે27 નવેમ્બર, 2022, બીજી વન ડે30 નવેમ્બર, 2022, ત્રીજી વન ડેમહત્વપૂર્ણ છે કે ટી-20 વર્લ્ડકપ 16 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યો છે જ્યારે ફાઇનલ મેચ 13 નવેમ્બરે રમાશે. જો ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોચે છે તો તેને ન્યૂઝીલેન્ડ સીરિઝ માટે 5 દિવસનો સમય મળશે. કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં હજુ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડમાં છે, જ્યા તે ટેસ્ટ, વન ડે અને ટી-20 સીરિઝ રમશે.

संबंधित पोस्ट

17 કરોડના રોનાલ્ડોની કાર અકસ્માતનો ભોગ: ઘરના એન્ટ્રી ગેટ પર જ થયો અકસ્માત, સ્ટાર ફૂટબોલરનો ડ્રાઈવર ભાગી છૂટ્યો

Karnavati 24 News

https://karnavati24news.com/news/13694

Karnavati 24 News

હરમનપ્રીતના સુપરનોવાસે ત્રીજી વખત મહિલા T20 ચેલેન્જ જીતી: રોમાંચક ફાઇનલ મેચમાં દીપ્તિ શર્માની વેલોસિટી ટીમને 4 રનથી હરાવ્યું

Karnavati 24 News

IND vs SA, 1st ODI: શું પ્રથમ ODIમાં વરસાદનું જોખમ છે? જાણો પાર્લમાં કેવું રહેશે હવામાન

Karnavati 24 News

રવિન્દ્રસિંહ જાડેજાઃ અલ્લુ અર્જુનના અવતારમાં જોવા મળતા પુષ્પાના ‘ભૂત’ પર સવાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની તસવીર વાયરલ

Karnavati 24 News

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝને ક્લીન સ્વીપ કરવા માટે ટીમ ઈન્ડિયા કેટલાક ફેરફાર સાથે મેદાને ઉતરી

Karnavati 24 News