રેલવેના નિયમ મુજબ ટિકિટ કેન્સલ કર્યા વગર પ્રવાસની તારીખ પણ તમે આગળ કે પાછળ કરી શકો છો. તમારી મુસાફરીની તારીખ બદલવા માટે, તમારે ટ્રેનના પ્રસ્થાનના ઓછામાં ઓછા 24 કલાક પહેલાં બોર્ડિંગ સ્ટેશનના સ્ટેશન મેનેજર અથવા કમ્પ્યુટરાઇઝ્ડ રિઝર્વેશન સેન્ટર પર જવું પડશે અને એપ્લિકેશન આપવી પડશે. રેલવેથી મુસાફરીની તારીખ બદલવાની સુવિધા ઓનલાઇન અને ઓફલાઇન બંને છે.
તમે ટ્રીપના ડેસ્ટિનેશન સ્ટેશનમાં પણ ફેરફાર કરી શકો છો. હા, તમે તમારી અનુકૂળતા મુજબ તમારા ડેસ્ટિનેશન સ્ટેશનને બદલીને તમારી યાત્રા આગળ વધારી શકો છો. આ માટે તમારે ટ્રેનમાં ટીટીઈ પાસેથી ડેસ્ટિનેશન સ્ટેશન સુધીની ટિકિટ ખરીદવી પડશે. જ્યાં સુધીની તમારી પાસે ટીકીટ છે, તમારે આગળ જવા માટે ત્યાંથી ડેસ્ટિનેશન સ્ટેશન સુધીની ટિકિટ લેવી પડશે.
- તારીખ બદલવા પર હવે ટ્રેનમાં ટીકીટ નહિ કરવી પડે કેન્સલ
- તારીખ બદલવાની સુવિધા ઓનલાઇન અને ઓફલાઇન બંને
- ડેસ્ટિનેશન સ્ટેશનમાં પણ ફેરફાર કરી શકો છો તમે