Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અમરેલી જિલ્લામા આવેલ ચલાલથી ગોપાલગ્રામ વચ્ચે ગુરુકુલના પાટિયા પાસે એસ.ટી.નો અકસ્માત સર્જાયો હતો.

અમરેલીના ચલાલાથી ગોપાલગ્રામ વચ્ચે એસટી બસ રસ્તાની બાજુ પર ઉતરી ગઈ, મુસાફરોને બારીમાંથી બહાર કઢાયા

અમરેલીના ચલાલાથી ગોપાલગ્રામ વચ્ચે આજે એક એસટી બસ રસ્તાની સાઈડમાં ઉતરી જતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. બસ ત્રાસી થઈ જતા બસમાં સવાર મુસાફરોને બારીમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી.

અમરેલી જિલ્લામા આવેલ ચલાલથી ગોપાલગ્રામ વચ્ચે ગુરુકુલના પાટિયા પાસે એસ.ટી.નો અકસ્માત સર્જાયો હતો. અહીં એસ.ટી.બસ ચાલક દ્વારા બેલેન્સ ગુમાવી દેતા બસ ખાળીયામાં ઘુસી જતાં મુસાફરોએ થોડીવાર અહીં દેકારો મચાવ્યો હતો. ઘટના બાદ આસપાસમાં ગ્રામજનો પણ અહીં મદદ માટે દોડી આવ્યા હતા પરંતુ મુસાફરોની સંખ્યા ઓછી હોવાને કારણે કોઈ મોટી દુર્ઘટના બની ન હોવાનુ મનાય રહ્યું છે. જોકે અહીં સ્થાનીક લોકો દ્વારા મુસાફરોને બારીમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી.

ઘટના બાદ એસ.ટી.વિભાગના ધારી એસ.ટી.ડેપો મેનેજર સહિત દોડી આવ્યા હતા. અમરેલી એસ.ટી.ડેપોની બસ હોવાનુ જાણવા મળી રહ્યું છે જ્યારે મુસાફરો પણ અહીં આસપાસના ગ્રામ્ય વિસ્તારના હોવાનુ જાણવા મળી રહ્યું છે ઘટનામા રાહદારી ઓ અહીં ઉભા રહી મુસાફરોની મદદ કરતા પણ જોવા મળ્યા હતા.

संबंधित पोस्ट

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin

AMC સંચાલિત 4 સ્માર્ટ સ્કૂલોનું કેન્દ્રિત ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું, સ્માર્ટ સ્કૂલો વિવિધ સુવિધાઓથી સજ્જ

Karnavati 24 News

જામનગર જિલ્લા માં છેલ્લા ૨૪ કલાક માં થયેલ વરસાદ ની અપડેટ

Karnavati 24 News

વેરાવળના પૂર્વ ધારાસભ્યના પુત્ર એવા આદ્રી ગામના યુવા સરપંચનું અવસાન સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી

Karnavati 24 News

માંગરોળ માં ઘરનો કબાટ તોડીને 1.39 લાખની માલમતા ની ચોરી

Admin

ભરૂચ:કાર માં ચોર ખાનું બનાવી લઈ જવાતો શરાબ ના જથ્થા સાથે એક ની ધરપકડ

Karnavati 24 News