Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસોથી ગીર ફોરેસ્ટને લીધે વિલંબિત તમામ મીટરગેજ લાઈનોના ગેજ પરિવર્તનના કામો રેલવે બોર્ડ તરફથી પ્રાયોરિટીમાં લેવામાં આવ્યા

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસો થી ગીર ફોરેસ્ટને લીધે વિલંબિત તમામ મીટરગેજ લાઈનોના ગેજ પરિવર્તનના કામો રેલવે બોર્ડ તરફ થી પ્રાયોરિટીમાં લેવામાં આવ્યા હતા.
અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા તરફ થી કેન્દ્ર સરકારમાં સતત કરવામાં આવેલ રજુઆત અને પ્રયાસોના ફળસ્વરૂપે વર્ષ : 2017-18 ના રેલ બજેટમાં (1) ખીજડિયા-વિસાવદર (2) વિસાવદર-જૂનાગઢ અને (3) વિસાવદર-તાલાળા-વેરાવળ મીટરગેજ રેલ લાઈનોને બ્રોડગેજમાં પરિવર્તન કરવાની મંજૂરી મળ્યા બાદ રેલ વિભાગ તરફ થી DPR બનાવી તેની દરખાસ્ત રેલવે બોર્ડને સોંપાઈ ગયેલ હતી. પરંતુ આ લાઈનો ગીર ફોરેસ્ટ માંથી પસાર થતી હોવાને લીધે વાઈલ્ડ લાઈફ ક્લિયરન્સ (NOC) ન મળવાને લીધે આ તમામ કામોને રેલવે બોર્ડ તરફ થી લો-પ્રાયોરિટીમાં રાખવામાં આવ્યા હતા.

જે અન્યવે સાંસદ નારણભાઈ કાછડીયાએ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ અને રેલવે બોર્ડને સમયાંતરે કરવામાં આવેલ રજૂઆતોના અનુસંધાને ગત તા. 03.03.2022 ના રોજ માન. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના અધ્યક્ષ સ્થાને મળેલ રેલ મંત્રાલયની પરામર્શદાત્રી સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહી સાંસદએ આ તમામ પ્રોજેક્ટ્સને લો-પ્રાયોરિટી માંથી દૂર કરી હાઈ-પ્રાયોરિટીમાં લેવાનો નિર્ણય કરાવેલ હતો.
જે અંગે રેલવે બોર્ડના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર વ પ્રોજેકટ મોનીટરિંગ વિકાસ કુમાર જૈન દ્વારા તા. 04.03.2022 થી સાંસદ નારણભાઈ કાછડીયાને જાણ પણ કરવામાં આવેલ છે. અમરેલી સંસદીય વિસ્તારના વિકાસ માટે અને લોકોના પ્રશ્નોને લોકસભા ગૃહ સુધી વાચા આપવા માટે હંમેશા તત્પર એવા સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસોને લીધે હવે આગામી ટુક સમયમાં આ તમામ પ્રોજેક્ટ્સની પેન્ડિંગ પડેલ કાર્યવાહી પૂર્ણ કરી મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે….

संबंधित पोस्ट

 દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ ને લઇને એક પત્રકાર પરિષદ

Karnavati 24 News

વોર્ડ નં.૪માં મોરબી રોડ થી મધુવન રોડ સુધી રોડ કામનું ખાતમુહૂર્ત રાજકોટ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ શહેર ભાજપના ઉપપ્રમુખ અશોકભાઈ લુણાગરિયા અને સોનલબેન ચોવટીયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું.

Karnavati 24 News

ગીર સોમનાથ જિલ્લામાં 26 ફેબ્રુઆરીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે, CM ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી જોડાશે

Karnavati 24 News

રાજકીય ભૂકંપ-બીટીપી આપ નું ગઠબંધન તૂટ્યું,છોટુ વસાવાએ આપ પર કર્યા પ્રહાર

ગુજરાત ઈલેક્શન 2022 : કોંગ્રેસનું ગૂંચવાયેલું કોકડું સરખું કરવા ગેહલોત એક્શનમાં

Karnavati 24 News

ચૂંટણીનું મનદુઃખ રાખીને એક ટોળાએ ઘરમાં ઘૂસીને દલિત પરિવારને અપમાનિત કરીને માર માર્યો

Karnavati 24 News