Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

ગીર સોમનાથ જિલ્લામાં 26 ફેબ્રુઆરીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે, CM ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી જોડાશે

ગીર સોમનાથ જિલ્લામાં ૨૬મી ફેબ્રઆરીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે લાભાર્થીઓને હાથો હાથ યોજનાકીય લાભોનુ વિતરણ કરાશે.જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે ગીર સોમનાથ જિલ્લામાં યોજનાકીય સાધન સહાય, રોગગારલક્ષી કીટ રોકડ સહાય સહિતાના લાભોનુ વિતરણ કરવા માટે તા.૨૬-૦૨-૨૦૨૨ના રોજ ગરીબ કલ્યાણ મેળાનુ આયોજન કરવામાં આવ્યું છે આ મેળામાં અમરેલી સ્થિતથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે. મહત્વનુ છે કે, રાજ્ય સરકારની લોક કલ્યાણની યોજનાઓનો લાભ જરૂરિયાતમંદોને હાથો હાથ આપવા માટે ગરીબ કલ્યાણ મેળાનુ આયોજન કરવામાં આવે છે.જિલ્લાકક્ષા આ ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારીઓ માટે જિલ્લા વિકાસ અધિકારી અને કાર્યકારી કલેક્ટર રવીન્દ્ર ખતાલે અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં જરૂરિયાતમંદ અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સહાય સાધનનુ સુચારૂ વિતરણ થાય તે માટે સંબંધિત અધિકારી ઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી સાથે જ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળા લાભ વંચિત ન રહે તે માટે ચીવટતાથી કામગીરી કરવા નિર્દેશ આપવામાં આવ્યા હતા ઉપરાંત આ બેઠકમાં કાર્યક્રમની રૂપરેખા નિર્ધારિત કરવામાં આવી હતી આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી. વી. લિંબાસીયા, પ્રાંત અધિકારી સરયુબા જસરોટીયા, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

संबंधित पोस्ट

કારનું કવર ફાડી નાખવા જેવી બાબત પર એક શખ્સે અબોલા શ્વાનને આડેધડ મારી પતાવી દીધું: જીવ દયાપ્રેમીએ ફરિયાદ નોંધાવી

Karnavati 24 News

અયોધ્યામાં વાતાવરણ ડહોળવાના ષડયંત્રનો મોટો ખુલાસો, CCTVના આધારે 7 આરોપીઓની ધરપકડ

Karnavati 24 News

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતીના પરીક્ષણ માટેના ફાર્મનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અવલોકન કર્યું

Gujarat Desk

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (National Congress party) ના 24 વર્ષ નિમિતે મુંબઈ ખાતે ઉજવણી કરવામાં આવી

Karnavati 24 News

 ઓમિક્રૉનના કેસ વધવાની સાથે સારા સમાચાર, દેશને 2 નવી વેક્સીન મળી

Karnavati 24 News

ડીસા ખાતે ઘી ના ભેળસેળીયા વેપારી પર ત્રાટકતુ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર

Gujarat Desk
Translate »