Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ધ્રાંગધ્રાના હરીપર રોડ પર ખરાવાડ વિસ્તારમાં તસ્કરો દ્વારા બંધ રહેણાક મકાનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાઇ

ધ્રાંગધ્રાના હરીપર રોડ પર આવેલા ખરાવાડ વિસ્તારમાં રહેતા મકાન માલિક અમદાવાદ સારવાર અર્થે ગયા હતા. ત્યારે બંધ મકાનના તાળા તોડી તસ્કરો દ્વારા રૂ.૧.૮૫ લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી અંગે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
…આ અંગે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા શહેરના હાઉસિંગ બોર્ડ ખારાવાડ પાસે રહેતા નુરમહમદભાઈ શેનભાઈ મોવર અમદાવાદ ખાતે સારવાર અર્થે ગયા હતા. ત્યારે નજીકમાં રહેતા તેમના વેવાઈ સવારના સમયે નમાજ પઢવા જઈ રહ્યા હતા ત્યારે ઘરના દરવાજાના તાળા તૂટેલા દેખાતા ટેલિફોન દ્વારા જાણ કરતા તાત્કાલિક અમદાવાદ થી ઘરે આવી તપાસ કરી હતી. જેમાં ઘરના મેઈન દરવાજા, ઘરના બેડરૂમ સહિતના લોક તોડી નાખેલા હતા. તેમજ બેડરૂમમાં રહેલ તિજોરીના લોક તોડી તેમાંથી રૂ.૧.૮૫ લાખની કિંમતના સોના ચાંદીના દાગીના કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ચોરી થઈ હોવાનું જણાઇ આવતાં પત્ની મરીયમબેન દ્વારા ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે નોંધાવી હતી. આથી પોલીસે ફરિયાદ નોંધી એફએસએલ ડોગસ્કોર્ડની મદદથી વધુ તપાસ સીટી પોલીસે હાથ ધરી હતી.ધ્રાંગધ્રાના હરીપર રોડ પર ખરાવાડ વિસ્તારમાં તસ્કરો દ્વારા બંધ રહેણાક મકાનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાઇ..સોના ચાંદીના દાગીના સહિત ફૂલ રૂ. ૧.૮૫ લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો નાશી છુટતા ચકચાર.

संबंधित पोस्ट

 હળવદ : કારમાંથી ઓઈલ લીક થાય છે કહી નજર ચૂકવી ૪૦ લાખ લઈને ગઠીયો છુમંતર

Karnavati 24 News

 દિલ્હીના વેપારીને રૂ. 10 કરોડની લોન અપાવવાના ઝાંસામાં લઇ રૂ. 40 લાખ પડાવ્યા

Karnavati 24 News

વઘાસિયા. અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડીયા તાલુકાના દેવગામે પીડિત પરિવાર ની મુલાકાતે આવેલા અમદાવાદ નાં નીતિનભાઈ જાની ઉપનામ ખજૂર ભાઈ આવેલા હતા. તેનો વીડિયો સુટિગ કરનાર કણૉવતી 24 ન્યુઝ નાં પત્રકાર પ્રકાશભાઇ જી. વઘાસિયા.

Karnavati 24 News

જુનાગઢ થી 15.18 લાખનો અનાજ નો જથ્થો ભરીને નીકળેલ ટ્રક લઈ ચાલક ફરાર

Admin

 પતિએ બેરહેમી પુર્વક માર મારતા પત્ની બેભાન થઇ ઢળી પડી, પિતા નાસી છુટતા પુત્રીની મદદે આવી “અભયમ”

Karnavati 24 News

ટ્રકની ટક્કરે મહીલાનું મોત: ઉના પોલીસ સ્ટેશન સામે ટ્રક ચાલકે 70 વર્ષિય વૃદ્ધાને હડફેટે લીધા, મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું

Admin