ધ્રાંગધ્રાના હરીપર રોડ પર આવેલા ખરાવાડ વિસ્તારમાં રહેતા મકાન માલિક અમદાવાદ સારવાર અર્થે ગયા હતા. ત્યારે બંધ મકાનના તાળા તોડી તસ્કરો દ્વારા રૂ.૧.૮૫ લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી અંગે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
…આ અંગે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા શહેરના હાઉસિંગ બોર્ડ ખારાવાડ પાસે રહેતા નુરમહમદભાઈ શેનભાઈ મોવર અમદાવાદ ખાતે સારવાર અર્થે ગયા હતા. ત્યારે નજીકમાં રહેતા તેમના વેવાઈ સવારના સમયે નમાજ પઢવા જઈ રહ્યા હતા ત્યારે ઘરના દરવાજાના તાળા તૂટેલા દેખાતા ટેલિફોન દ્વારા જાણ કરતા તાત્કાલિક અમદાવાદ થી ઘરે આવી તપાસ કરી હતી. જેમાં ઘરના મેઈન દરવાજા, ઘરના બેડરૂમ સહિતના લોક તોડી નાખેલા હતા. તેમજ બેડરૂમમાં રહેલ તિજોરીના લોક તોડી તેમાંથી રૂ.૧.૮૫ લાખની કિંમતના સોના ચાંદીના દાગીના કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ચોરી થઈ હોવાનું જણાઇ આવતાં પત્ની મરીયમબેન દ્વારા ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે નોંધાવી હતી. આથી પોલીસે ફરિયાદ નોંધી એફએસએલ ડોગસ્કોર્ડની મદદથી વધુ તપાસ સીટી પોલીસે હાથ ધરી હતી.ધ્રાંગધ્રાના હરીપર રોડ પર ખરાવાડ વિસ્તારમાં તસ્કરો દ્વારા બંધ રહેણાક મકાનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાઇ..સોના ચાંદીના દાગીના સહિત ફૂલ રૂ. ૧.૮૫ લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો નાશી છુટતા ચકચાર.