Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

જયરાજ સિંહના ટ્વીટથી રાજકારણ ગરમાયું, શું કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે?

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાનો સીલસીલો ચાલી રહ્યો છે. જયરાજ સિંહના એક ટ્વીટથી ફરી એક વખત ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે.મહેસાણા પંથકના કોંગ્રેસી નેતા ભાજપમાં જોડાવાના સમાચાર સામે આવી રહ્યા છે, જે બાદ કોંગ્રેસના પ્રવક્તા જયરાજ સિંહે ટ્વીટ કર્યુ હતું. જેમાં કિસ કો ફિકર હૈ કી કબીલે કા ક્યા હોગા…! સબ ઇસી બાત પર લડતે હૈ કી સરદાર કૌણ હોગા…!!જયરાજ સિંહના ગ્રુપના મહેસાણા, બહુચરાજી પંથકના સભ્યો ભાજપમાં જોડાઇ રહ્યા છે. જયરાજ સિંહના ટ્વીટ પછી તે પણ ભાજપમાં જોડાવાની અટકળો શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસમાંથી કોઇ એક મોટા નેતા ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.આગામી 5 રાજ્યોની ચૂંટણી પછી ગુજરાતમાં પણ ચૂંટણીનો જંગ જામશે, ત્યારે આ બાબતને લઇને અત્યારથી જ ચર્ચાઓ થઇ રહી છે. બીજા એક ટ્વીટમાં તેમણે લખ્યુ છે કે, કોંગ્રેસ પક્ષ હંમેશા સંસદ સભઅયો અને ધારાસભ્યો કેન્દ્રીત પક્ષ રહ્યો છે. કોંગ્રેસ પક્ષમાં સંગઠનના લોકોને ક્યાંય સ્થાન હોતું નથી પછી સંગઠનનું મહત્વ ક્યાથી વધે. જયરાજ સિંહનું બીજુ ટ્વીટ તેમની પક્ષ પ્રત્યેની નારાજગી દર્શાવી રહ્યુ છે.

संबंधित पोस्ट

Testing Article Test Article Test Article Test Article Test Article

3જીએ જિલ્લા ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ સી આર પાટીલ રહેશે હાજર કમલમનડિયાદમાં તબક્કાવાર બેઠકો સંપન્ન

Karnavati 24 News

રાજયમાં જમીન રી સર્વેની મુદત 1 વર્ષ વધારાઈ: તમામ વાંધા અરજીઓનો નિકાલ લવાશે

Karnavati 24 News

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિતના અગ્રણીઓએ જૂનાગઢના ધારાસભ્યના પૂછ્યા ખબર અંતર

Karnavati 24 News

ગાંધીનગર: મહિલાઓને હથિયાર આપવાના મુદ્દા બાદ ગેનીબેન ઠાકોરે ગૃહમાં ઉઠાવ્યો આ મુદ્દો, જાણો શું કહ્યું?

Karnavati 24 News

 કોલકાતા મહાનગરપાલિકાની ચૂંટણીમાં દીદીનો ‘ખેલા હોબે’, TMCની ક્લિન સ્વિપ

Karnavati 24 News