Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

પાટીલથી રૂપાણી નારાજ!, રાજકોટમાં CM ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય રોડ શો, પૂર્વ મુખ્યમંત્રી ગાયબ

રાજકોટમાં સુશાસન દિવસના સમાપન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘર આંગણે આવ્યા છે. એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધી યોજાયેલા રોડ શોમાં પાટીલ હાજર હતા પણ રૂપાણી ક્યાય જોવા મળ્યા નહતા.

રોડ શો પૂર્ણ થાય તે પહેલા જ પાટીલ જતા રહ્યા હતા તે પછી વિજય રૂપાણી અને સીનિયર નેતા વજુભાઇ વાળા અચાનક જોવા મળ્યા હતા અને મુખ્યમંત્રીને મળીને તેમનું સ્વાગત કર્યુ હતુ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલથી નારાજ હોવાનું જોવા મળી રહ્યુ છે. ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે.

રાજકોટના રાજમાર્ગો પર મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને ઠેર ઠેર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. રાજકોટ દેશભક્તિના રંગે રંગાયુ હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રોડ શોમાં રાજકોટની જનતા ઉમળકાભેર ઉમટી પડી હતી. મુખ્યમંત્રી અને  નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર .પાટીલે ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રાજ્યમંત્રી મંડળ ના મંત્રીઓ પણ આ અવસરે જોડાયા હતા.

કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રૉનનો ખતરો જોવા મળી રહ્યો છે ત્યારે  ઘોડેસવાર, વિન્ટેજ કાર, બેન્ડવાજા સાથે મુખ્યમંત્રીનો જાજરમાન રોડ શો યોજાયો હતો. રોડ શોમાં ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ ખુલ્લી જીપમાં સવાર થયા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જીપ ફરતે પોલીસ ચોકીદાર બનીને આગળ વધતી જોવા મળી હતી. આ રોડ શો બાદ કોરોના વિસ્ફોટ થાય એવાં દ્રશ્યો જોવા મળ્યા હતા. રોડ શોમાં મુખ્યમંત્રીની સાથે 100 ગાડીનો કાફલો જોવા મળ્યો હતો. તેમજ 1000 બાઇકચાલકો પણ જોડાયા હતા.

संबंधित पोस्ट

પૂર્વ અમદાવાદમાં જાહેર સભા બાદ અમિત શાહનો આજે રોડ શો યોજાશે, CMનો પણ રોડ શો, જાણો બીજા નેતાનો ક્યાં છે પ્રવાસ

Admin

દીકરી રોહિણીની કિડનીથી મળશે લાલુને નવું જીવન, 24 નવેમ્બર સુધી સિંગાપુર જશે RJD સુપ્રીમો

Admin

વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં સ્વામિનારાયણ ગુરુકુળ જેવી સંસ્થાઓનું મહત્વનું પ્રદાનઃ

Karnavati 24 News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખૂણે ખૂણે રાજકારણ પ્રવેશી ગયું હોય એમ સત્તાધીશો વિદ્યાર્થીઓના હિતને બદલે પોતાની મનસુફીથી વહીવટ ચલાવી રહ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે

Karnavati 24 News

૧૫ માં નાણા પંચ અંતર્ગત જિલ્લામાં માટે રૂ. ૪૭૨.૭૫ લાખના ખર્ચે ૨૯૧ વિકાસ કાર્યોનું લોકાર્પણ

Karnavati 24 News

ગુજરાત પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ પ્રશાંત કોરાટ ટંકારાના પ્રવાસે પધાર્યા

Karnavati 24 News