Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્યપ્રદેશરાજકારણસ્થાનિક સમાચાર

 સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી સામે ઉપવાસ પર બેઠેલા આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરોની તબિયત લથડતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

રાજ્યમાં પેપર લીક મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. જેમાં આશિત વોરા જે ભરતી પ્રક્રિયાના અધ્યક્ષ છે તેમને હટાવવાની માંગ કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની કલેક્ટર કચેરી સામે પણ છેલ્લા પાંચ દિવસથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે. જે દરમિયાન સતત પાંચ દિવસથી ઉપવાસ આંદોલન પર ઉતરેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને હોદ્દેદારોની તબિયત લથડતા ઉપવાસ છાવણી થી સારવાર અર્થે શહેરની સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જે અંગે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પ્રાથમિક સુવિધાઓ અને આરોગ્ય ચેક અપ માટે રેગ્યુલર ટીમો આવતી નથી. ત્યારે ઉપવાસ પર ઉતરેલા કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની તબિયત લથડતા દોડધામ મચી જવા પામી હતી અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

संबंधित पोस्ट

ચૂંટણી પરિણામો વચ્ચે સંસદ ભવનમાં બેઠકની રાહ જોતા રહ્યા કોંગ્રેસના સાંસદો, જન્મદિવસ ઉજવવા રાજસ્થાનના રિસોર્ટ ચાલ્યા ગયા સોનિયા ગાંધી

Admin

અળસીના બીજ વજન ઘટાડવાથી ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે, જાણો ખાવાની શ્રેષ્ઠ રીતો

Admin

કર્ણાટક ચૂંટણી માટે ભાજપની યોજના: યોગ દિવસ પર PM મોદી બેંગલુરુમાં હશે, 10 મહિના અગાઉથી પ્રચારની તૈયારીઓ

Karnavati 24 News

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિતના અગ્રણીઓએ જૂનાગઢના ધારાસભ્યના પૂછ્યા ખબર અંતર

Karnavati 24 News

 અદાણીએ CNGના ભાવમાં 2 રૂપિયાનો કર્યો વધારો

Karnavati 24 News

મહુધાના મીનાવાડા દર્શન કરવા જઈ રહેલા દંપતીને અકસ્માત નડ્યો, વાંદરુ રોડ વચ્ચે આવતા બાઈક પરથી દંપતી પટકાયું; પત્નીનું મોત

Karnavati 24 News