Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્યપ્રદેશરાજકારણસ્થાનિક સમાચાર

 સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી સામે ઉપવાસ પર બેઠેલા આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરોની તબિયત લથડતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

રાજ્યમાં પેપર લીક મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. જેમાં આશિત વોરા જે ભરતી પ્રક્રિયાના અધ્યક્ષ છે તેમને હટાવવાની માંગ કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની કલેક્ટર કચેરી સામે પણ છેલ્લા પાંચ દિવસથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે. જે દરમિયાન સતત પાંચ દિવસથી ઉપવાસ આંદોલન પર ઉતરેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને હોદ્દેદારોની તબિયત લથડતા ઉપવાસ છાવણી થી સારવાર અર્થે શહેરની સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જે અંગે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પ્રાથમિક સુવિધાઓ અને આરોગ્ય ચેક અપ માટે રેગ્યુલર ટીમો આવતી નથી. ત્યારે ઉપવાસ પર ઉતરેલા કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની તબિયત લથડતા દોડધામ મચી જવા પામી હતી અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

संबंधित पोस्ट

આજનું રાશિફળ (23/05/2025)

Gujarat Desk

ઉના તાલુકાના ભાચા ગામે આંતરરાષ્ટ્રીય વન નય દિવસની ઉજવણી કરવામાં આવી

Karnavati 24 News

આજ નું રાશિફળ (29/08/2025)

Gujarat Desk

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દાહોદનાં ઝાલોદ ખાતે સહભાગી થશે

Karnavati 24 News

T.D.O ખાતા દ્વારા સવારે લારી તેમજ પથારાવાળાનો સામાન ઉઠાવી લીધા

Admin

શિક્ષણ આરોગ્યને ધ્યાને લઈ જરૂરિયાત મંદ લોકોને મદદ મળી શકે માટે સંસ્થા શરૂ કરાશે

Admin
Translate »