Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્યપ્રદેશરાજકારણસ્થાનિક સમાચાર

 સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી સામે ઉપવાસ પર બેઠેલા આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરોની તબિયત લથડતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

રાજ્યમાં પેપર લીક મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. જેમાં આશિત વોરા જે ભરતી પ્રક્રિયાના અધ્યક્ષ છે તેમને હટાવવાની માંગ કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની કલેક્ટર કચેરી સામે પણ છેલ્લા પાંચ દિવસથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે. જે દરમિયાન સતત પાંચ દિવસથી ઉપવાસ આંદોલન પર ઉતરેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને હોદ્દેદારોની તબિયત લથડતા ઉપવાસ છાવણી થી સારવાર અર્થે શહેરની સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જે અંગે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પ્રાથમિક સુવિધાઓ અને આરોગ્ય ચેક અપ માટે રેગ્યુલર ટીમો આવતી નથી. ત્યારે ઉપવાસ પર ઉતરેલા કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની તબિયત લથડતા દોડધામ મચી જવા પામી હતી અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

संबंधित पोस्ट

મહાકુંભથી પરત ફરી રહેલા પરિવારને બિહારના આરા-મોહનિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નડ્યો અકસ્માત, 6 ના મોત

Gujarat Desk

 મહેસાણા જિલ્લા ફરી એકવાર દીપડો દેખવાની ફરિયાદ મળી

Karnavati 24 News

इन घरेलू उपायों से दूर होगी आपकी कफ और खांसी जैसी परेशानियां

Karnavati 24 News

ગાંધીનગર ખાતે આગામી તા. ૨૪ થી ૨૮ માર્ચ દરમિયાન યોજાશે “૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫”

Gujarat Desk

તેજ પ્રતાપે તેજસ્વીને ઝડપી ચાલ બતાવી : તેજસ્વીને RJDમાં નીતિગત નિર્ણયનો અધિકાર મળ્યો, અહીં તેજ પ્રતાપે પોતાના સંગઠનનું નામ બદલી નાખ્યું

Karnavati 24 News

‘તમે મને સુપરસ્ટાર માનો છો, પણ સરકાર નથી માનતી…’, ‘નારાજ’ વિક્રમ ઠાકોર આવ્યા મેદાને

Gujarat Desk
Translate »