Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 જામનગરમાં ઈશુના જન્મ દિવસના વધામણાં કરવા થનગનાટ

ખ્રિસ્તી સમાજના તહેવાર નાતાલમાં ભગવાન ઇશુના જન્મદિવસને વધાવવા સમગ્ર વિશ્ર્વમાં ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા ઘર તેમજ ચર્ચને રોશનીથી શણગારવામાં આવે છે. જામનગરમાં પણ નાતાલની પૂર્વ સંધ્યાએ અંબર ચોકડી નજીક આવેલા સેક્રેડ હાર્ટ ચર્ચને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. તેમજ ખ્રિસ્તી સમુદાયના ધર્મગુરૂઓ દ્વારા ભગવાન ઇશુના જન્મપ્રસંગે પ્રાર્થના કરવામાં આવી હતી. જામનગરમાં 25 ડિસેમ્બરના નાતાલની પૂર્વ સંધ્યાએ શહેર મધ્યમાં આવેલા ચર્ચ ખાતે લોકો રોશની જોવા ઉમટી પડયા હતા. મોડી રાત્રીના ચર્ચના પાદરી દ્વારા સમુહ પ્રાર્થના કરવામાં આવી હતી. તેમા કિશ્ર્ચિયન સમાજના લોકોએ ભાગ લીધો હતો.સેક્રેટ હાર્ટ ચર્ચના પંટાગણમાં વિવિધ પ્લોટસ દ્વારા ભગવાન ઇશુ ખ્રિસ્તીના જન્મ સમયના પ્રસંગો રજૂ કરાયા હતા.

संबंधित पोस्ट

 વાઇબ્રન્ટ સમિટી 2022માં આડેધડ પાર્કિંગ ને ટ્રાફિક જામ રોકવા પોલીસ 16 ક્રેન ભાડે લાવશે, ટોઇંગવાન દોડાવાશે

Karnavati 24 News

દાહોદમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહના સમર્થનમાં આવેદન પત્ર આપવામાં આવ્યુ

Karnavati 24 News

પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવો જાણો .

Karnavati 24 News

યોગી લખનૌના 10 ટોપર્સને મળ્યાઃ પૂછ્યું- તમે સૂઈ ગયા પછી કેટલા વાગે ઉઠો છો, એકે કહ્યું- 7 વાગે; વિદ્યાર્થીઓ હસી પડ્યા તો મુખ્યમંત્રી પણ હસવા લાગ્યા.

Karnavati 24 News

જુનાગઢ વિલીંગ્ડન ડેમ તોપના 7 ગોળા ખમીનેય હજુ પણ અડીખમ છે

Admin

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે અમદાવાદ થી નીકળેલઈ ભાજપ બાઈક રેલી નું સુરત ખાતે સમાપન

Karnavati 24 News