Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 જામનગરમાં ઈશુના જન્મ દિવસના વધામણાં કરવા થનગનાટ

ખ્રિસ્તી સમાજના તહેવાર નાતાલમાં ભગવાન ઇશુના જન્મદિવસને વધાવવા સમગ્ર વિશ્ર્વમાં ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા ઘર તેમજ ચર્ચને રોશનીથી શણગારવામાં આવે છે. જામનગરમાં પણ નાતાલની પૂર્વ સંધ્યાએ અંબર ચોકડી નજીક આવેલા સેક્રેડ હાર્ટ ચર્ચને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. તેમજ ખ્રિસ્તી સમુદાયના ધર્મગુરૂઓ દ્વારા ભગવાન ઇશુના જન્મપ્રસંગે પ્રાર્થના કરવામાં આવી હતી. જામનગરમાં 25 ડિસેમ્બરના નાતાલની પૂર્વ સંધ્યાએ શહેર મધ્યમાં આવેલા ચર્ચ ખાતે લોકો રોશની જોવા ઉમટી પડયા હતા. મોડી રાત્રીના ચર્ચના પાદરી દ્વારા સમુહ પ્રાર્થના કરવામાં આવી હતી. તેમા કિશ્ર્ચિયન સમાજના લોકોએ ભાગ લીધો હતો.સેક્રેટ હાર્ટ ચર્ચના પંટાગણમાં વિવિધ પ્લોટસ દ્વારા ભગવાન ઇશુ ખ્રિસ્તીના જન્મ સમયના પ્રસંગો રજૂ કરાયા હતા.

संबंधित पोस्ट

આજે સ્પીપા-ગાંધીનગર ખાતે “ઓગમેન્ટિંગ પોસ્ટ-હાર્વેસ્ટ ઇકોનોમી” વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાશે

Gujarat Desk

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના: 76 લાખથી વધુ અન્ન સલામતી કાયદા હેઠળના કુટુંબોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડી રહી છે ગુજરાત સરકાર

Gujarat Desk

દાહોદ જીલ્લા ના મુલાકાલે 20 એપ્રીલ ના રોજ PM ની મુલાકાત ના પગલે વહીવટ તંત્ર તૈયારી મા લાગ્યા

Karnavati 24 News

પાલિતાણા તાલુકામા બાળકો દ્વારા ચોપડા પૂજન કરી અનોખી રીતે દશેરા ઉજવ્યા

Admin

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે વિધર્મી યુવક દ્વારા એક હિન્દુ યુવતીને ભગાડી લઈ જતાં આજે બીજા દિવસે પણ ગરબાડા સહિત ગાંગરડી તેમજ આસપાસના વિસ્તારો સજ્જડ બંધ રહ્યાં હતાં ત્યારે બીજા દિવસે બનાવ

Karnavati 24 News

રજૂઆત કરવા આવેલા ટોળાએ ગાંધીનગરના કલોલ નગરપાલિકા પર પથ્થરમારો કર્યો

Gujarat Desk
Translate »