Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 જામનગરમાં ઈશુના જન્મ દિવસના વધામણાં કરવા થનગનાટ

ખ્રિસ્તી સમાજના તહેવાર નાતાલમાં ભગવાન ઇશુના જન્મદિવસને વધાવવા સમગ્ર વિશ્ર્વમાં ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા ઘર તેમજ ચર્ચને રોશનીથી શણગારવામાં આવે છે. જામનગરમાં પણ નાતાલની પૂર્વ સંધ્યાએ અંબર ચોકડી નજીક આવેલા સેક્રેડ હાર્ટ ચર્ચને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. તેમજ ખ્રિસ્તી સમુદાયના ધર્મગુરૂઓ દ્વારા ભગવાન ઇશુના જન્મપ્રસંગે પ્રાર્થના કરવામાં આવી હતી. જામનગરમાં 25 ડિસેમ્બરના નાતાલની પૂર્વ સંધ્યાએ શહેર મધ્યમાં આવેલા ચર્ચ ખાતે લોકો રોશની જોવા ઉમટી પડયા હતા. મોડી રાત્રીના ચર્ચના પાદરી દ્વારા સમુહ પ્રાર્થના કરવામાં આવી હતી. તેમા કિશ્ર્ચિયન સમાજના લોકોએ ભાગ લીધો હતો.સેક્રેટ હાર્ટ ચર્ચના પંટાગણમાં વિવિધ પ્લોટસ દ્વારા ભગવાન ઇશુ ખ્રિસ્તીના જન્મ સમયના પ્રસંગો રજૂ કરાયા હતા.

संबंधित पोस्ट

સુરત: પેપર ચોરી થવાના કેસમાં પ્રથમ વાર વિદ્યાર્થીઓ પેપર આપવા પહોચ્યા, ક્લાસમાં બેસીને પુસ્તક વાંચવા પડ્યા

Karnavati 24 News

વલસાડ ગ્રામ પંચાયતનું 71.04 ટકા મતદાન

Karnavati 24 News

 અમરેલીમાં 2.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા

Karnavati 24 News

ઊના શહેરમાં મુશ્કિલ-કુશા ફિ મેડીકલ કેમ્પ યોજાયો . . .

Admin

“શાહે આલમ સરકાર” ઉરસ વર્ષ : ૫૬૩

Karnavati 24 News

મહુવા શહેરનો વોર્ડ નં 8 માં ભાજપની ચૂંટણી સભા યોજાઈ હતી .

Admin