Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 જામનગરમાં ઈશુના જન્મ દિવસના વધામણાં કરવા થનગનાટ

ખ્રિસ્તી સમાજના તહેવાર નાતાલમાં ભગવાન ઇશુના જન્મદિવસને વધાવવા સમગ્ર વિશ્ર્વમાં ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા ઘર તેમજ ચર્ચને રોશનીથી શણગારવામાં આવે છે. જામનગરમાં પણ નાતાલની પૂર્વ સંધ્યાએ અંબર ચોકડી નજીક આવેલા સેક્રેડ હાર્ટ ચર્ચને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. તેમજ ખ્રિસ્તી સમુદાયના ધર્મગુરૂઓ દ્વારા ભગવાન ઇશુના જન્મપ્રસંગે પ્રાર્થના કરવામાં આવી હતી. જામનગરમાં 25 ડિસેમ્બરના નાતાલની પૂર્વ સંધ્યાએ શહેર મધ્યમાં આવેલા ચર્ચ ખાતે લોકો રોશની જોવા ઉમટી પડયા હતા. મોડી રાત્રીના ચર્ચના પાદરી દ્વારા સમુહ પ્રાર્થના કરવામાં આવી હતી. તેમા કિશ્ર્ચિયન સમાજના લોકોએ ભાગ લીધો હતો.સેક્રેટ હાર્ટ ચર્ચના પંટાગણમાં વિવિધ પ્લોટસ દ્વારા ભગવાન ઇશુ ખ્રિસ્તીના જન્મ સમયના પ્રસંગો રજૂ કરાયા હતા.

संबंधित पोस्ट

 વાઘોડિયા રોડ પર તુટેલા ઢાંકણામાંથી ગાય વરસાદી કાંસમાં ખાબકી, ફાયર જવાનોએ રેસ્ક્યૂ કરી

Karnavati 24 News

 ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત જિલ્લા તથા તાલુકા મથકે કંટ્રોલરૂમ શરૂ કરાયાઃ

Karnavati 24 News

दुनियाभर के पर्यटन उद्योग पर महामारी का बुरा प्रभाव, जानें- किस देश में क्या है असर

Admin

 અમરેલીમાં 2.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા

Karnavati 24 News

 દાસજ ગામમાં પશુપાલકોને પશુઓમા દૂધ ઉત્પાદન વધારવાના તેમજ નફાકારક પશુપાલન માટે વૈજ્ઞાનિક અભિગમ વિશે માહિતી તેમજ માર્ગદર્શન

Karnavati 24 News

દાદરા નગર હવેલી પોલીસ દ્વારા શહીદ દિવસ નિમિતે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી

Admin