Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 માણેકવાડામાં ઝેરી દવા પી લેનાર માતાના સ્તનપાનથી પુત્રીને ઝેરની અસર થતા મોત

બગસરાના માણેકવાડામાં પરિણીતાએ કોઇ કારણસર ઝેરી દવા પી લીધા બાદ તેની ચાર માસની પુત્રીને સ્તનપાન કરાવતા તેને પણ ઝેરની અસર થતા સારવાર દરમિયાન મોત થયુ હતુ.

માણેકવાડા ગામમાં રહેતા કાજલ અજયભાઇ વાઘેલા (ઉ.વ.20)ને માવતરે જવુ હોવાથી પતિએ ખેતરમાં સાંત હાંકવાની હોવાથી પછી જવાનું કહેતા પરિણીતાને લાગી આવ્યુ હતુ. પતિ સહિતના પરીવારજનો સવારે કામે જતા રહ્યા હતા તે બાદ પરિણીતાને લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. તે બાદ પરિણીતાને બગસરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

સારવાર દરમિયાન પરિણીતાએ તેની ચાર માસની પુત્રી રડતી હોવાથી તેને સ્તનપાન કરાવ્યું હતું. જેમાં બાળકીને પણ ઝેરી દવાની અસર થતા તેને બગસરાથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ સ્થિત કે.ટી.ચિલ્ડ્ર્ન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત થતા પરિવારમાં શોકની લહેર છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે બગસરા પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

કતારગામમાં શંકાસીલ પતિનું કારસ્તાન, બાળકો સામે જ પત્નીને પેટ, છાતી અને પગમાં ગોળી મારી

Karnavati 24 News

જાલણ સર પાસે પેટ્રોલ પંપ ના માલિક પર પિતા પુત્રોનો હુમલો

Admin

મોસ્ટ વોન્ટેડ નક્સલવાદી સંદીપનું મોત, હાથ-પગ બાંધવામાં આવ્યાઃ 75 લાખનું ઈનામ; 4 લોકોને ફાંસી આપ્યા બાદ હિટ લિસ્ટમાં હતો

Karnavati 24 News

ફટાકડા ભરેલ કન્ટેઇનરમાં આગ લાગી હોવાનું સમજી ગભરાયેલા લોકોએ બિયર સમજી હેન્ડ વૉશ-પરફ્યુમની લૂંટ ચલાવી

 કીડાણા પાસે બે મહિલા ૧૦ બોટલ શરાબ સાથે ઝડપાઇ

Karnavati 24 News

ચાર યુવકોની રોમિયોગીરી, મહિલા પોલીસને ઓળખી ના શક્યા, છેડતી કરતા ઝડપાયા

Karnavati 24 News