Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ટ્રાઇબલ તાલુકામાં ગણના થતી એવા ઝઘડિયા તાલુકામાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ઝઘડિયા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

ઝઘડિયા ઉજવણી કાર્યક્રમ માં દક્ષીણ આફ્રિકામાં વિશ્વની સૌથી ઉંચો ચોથા નંબરનો પર્વત સર કરનાર આદિવાસી મહિલા સીમા ભગત ઉપસ્થિત રહ્યા.
બીટીપી બીટીટીએસ સહીત આદિવાસી સંગઠનો જોડાયા.
૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની દેશભરમાં ભારે ઉત્સાહસભર વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે ભરૂચ જિલ્લાના ટ્રાઇબલ તાલુકામાં ગણના થતી એવા ઝઘડિયા તાલુકામાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

બીટીપી, બીટીટીએસ તથા અન્ય આદિવાસી સંગઠનો ઉપસ્થિત રહી અરસ પરસ વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. વિશ્વ આદિવાસી દિન નિમિત્તે આદિવાસીઓની સંસ્કૃતિ, પરંપરા અને પ્રકૃતિને સાચવી રાખવાની, સમગ્ર આદિવાસી સમાજ એક મંચ પર આવે અને પ્રકૃતિને બચાવવાનો સંકલ્પ લે તેવી વાત કરવામાં આવી હતી.

આ પ્રસંગે આદિવાસીઓના અધિકારની વાત ઉચ્ચારવામાં આવી હતી. શિડયુલ પાંચ અને સીડ્યુલ છ નો સંપૂર્ણપણે અમલ થાય તેવા સહીયારા પ્રયાસો ધરવામાં આવે તેવું આહવાન કરવામાં આવ્યું હતું. પર્વતા રોહક આદિવાસી મહિલા સીમા ભગતે જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે આજે હું ખૂબ ગર્વની લાગણી અનુભવ છું. તેમણે જણાવ્યું હતું કે આજે હું ગર્વ અનુભવ છું કે છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાએ જે આદિવાસી અસ્તિત્વને ટકાવી રાખવા માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે તેને બિરદાવું છુ.

ઝઘડિયા ખાતે યોજાયેલ કાર્યક્રમ રેલી સ્વરૂપે ઝઘડિયા ચાર રસ્તા થી બજાર એપીએમસી થઈ રાજપારડી તરફ રવાના થઈ હતી અને રાજપારડી ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું

संबंधित पोस्ट

ઉમેદવારો હવે ચૂંટણી ખર્ચ માટે ઓનલાઇન ક્રાઉડફંડિંગ તરફ વળ્યા . .

Admin

 જૂનામાંકામાં ઠાકોર સમાજની 3 મહિલા સામે દેસાઈ સમાજની મહિલાની 228 મતોથી જીત

Karnavati 24 News

વેરાવળના પૂર્વ ધારાસભ્યના પુત્ર એવા આદ્રી ગામના યુવા સરપંચનું અવસાન સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી

Karnavati 24 News

વલસાડ જિલ્લા કક્ષાનો “વિશ્વાસથી વિકાસ યાત્રા” અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ આખરે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી દીધી

Karnavati 24 News

વીજ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં નંબર-1 છે, ડબલ એંજિનની સરકારથી સૌને ફાયદો થઈ રહ્યો છે- મંત્રી કનુભાઈ દેસાઇ

Karnavati 24 News