Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

પાટણમાં બાળ સુરક્ષા કચેરી પાટણ દ્વારા અનાથ બાળકો તથા પાલકને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની સહાય કરવામાં આવી

પાટણમાં બાળ સુરક્ષા કચેરી પાટણ દ્વારા અનાથ બાળકો તથા પાલકને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની સહાય કરવામાં આવી ગુજરાત સરકાર દ્વારા પાલક માતાપિતા યોજના અમલમાં મુકવામાં આવી છે. જેનો લાભ અનાથ બાળકો જેવા કે, જે બાળકના માતાપિતા બંનેનું અવસાન થયેલ હોય અથવા જે બાળકના પિતાનું અવસાન થયેલ હોય અને માતા બાળકોને મૂકીને બીજે પુનઃલગ્ન કરે તો તે બાળકોના રક્ષણ, શિક્ષણ, આરોગ્ય તથા અન્ય જીવન જરૂરિયાત પુરી પાડવા માટે આ યોજના અંતર્ગત અનાથ બાળકોનો ઉછેર કરતા બાળકના પાલક માતાપિતાને સરકારશ્રી દ્વારા દર માસે રૂા.૩૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે. આ યોજના અંતર્ગત બાળ સુરક્ષા કચેરી પાટણ દ્વારા અનાથ બાળકો તથા પાલકને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની સહાય કરવામાં આવી છે. રાધનપુર તાલુકાના કમાલપુર ગામના રામેશ્વર પરામાં વયોવૃદ્ધ અશક્ત દાદા- દાદીની પાસે 4 અનાથ બાળકો કે જેમના માતા-પિતાની છત્ર છાયા આ બાળકો પર નથી તેઓ માટે બાળ સુરક્ષા વિભાગ પાટણ દ્વારા પાલક માતા-પિતા યોજનાનું ફોર્મ ભરાવી લાભ આપવાનું ચાલુ કરવામાં આવ્યું છે. આ દાદા-દાદી તેમના પૌત્રના 4 બાળકો સાથે જર્જીરીત મકાનમાં રહે છે અને આ બાળકોની ઋતુ દરમિયાન પડતી સમસ્યાઓ જોતા તેઓની હાલત અત્યંત દયનીય, લાચાર થઇ ગયી છે. તેથી તેઓની ચિંતા કરી બાળ સુરક્ષા એકમના સ્ટાફ તથા દાતાશ્રીઓના સહકારથી ઘરની જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ જેવી કે થાળી, વાટકા, ચમચી, ઘઉં, ચોખા,અનાજ ભરવાના પીપ ,વગેરે આપવામાં આવી છે. વધુમાં છેલ્લા કેટલાય સમયથી વીજ કનેકશન તથા પાણીની સમસ્યા હોતા તાત્કાલિક બાળ સુરક્ષા એકમની ટીમ સાથે રહી નવીન લાઈટનું મિટર તથા પાણીનું કનેક્શન પણ લગાવી આપવામાં આવ્યું છે. પાલક માતાપિતા યોજના અંતર્ગત ૦ થી ૧૮ વર્ષ સુધી બાળક અભ્યાસ કરતુ હોય તો માસિક ત્રણ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. આ યોજનામાં બાળક નિયમિત શાળાએ જાય તેમજ બાળક પાંચ વર્ષ કરતા નાની ઉંમરનું હોય તો નિયમિત આંગણવાડીમાં જાય તે માટે સમયાંતરે તેની ઘરતપાસ કરવામાં આવે છે

संबंधित पोस्ट

વડોદરા શહેરમાં કોરોના મૃત્યુ પામેલા બોગસ સર્ટી રજુ કરી સહાય મેળવનારા ઓની તપાસ સમિતિ વડોદરા આવી પહોંચી હતી

Karnavati 24 News

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર-2 બિલ્ડિંગમાં 7મા માળેથી લિફ્ટ તૂટી પડતાં 7 કામદારોનાં મોત

Karnavati 24 News

આ 5 શેર 37% સુધીનું વળતર આપી શકે છે, જે થોડા સમય અગાઉ શેર બજારમાં લિસ્ટ થયાં છે

Karnavati 24 News

ગારીયાધાર તાલુકા માં ખેડૂતો દ્વારા ખેતી લાયક જમીન ની શરૂઆત

Karnavati 24 News

સુરત શહેર પોલીસની અભિનવ પહેલ,પોલીસ પરિવારના યુવક-યુવતિઓના ભવિષ્ય ધડતર માટે ‘ભવિષ્ય’ કારકિર્દી પ્રેરણા કેન્દ્રનું ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ લોકાર્પણ કર્યું.! .

Karnavati 24 News

અલંગ ભંગાણ અર્થે આવતા જહાજ માંથી થયેલ ચોરીનો દોઢ લાખનો કીમતી સમાન સરતાનપર બંદર ગામેથી ઝડપાયો

Karnavati 24 News