જૂનાગઢમાં નવાબી સમયે કાળથી જૂનાગઢ શહેરમાં મોતીબાગ ખાતે કૃષિ યુનિવર્સિટીના ઉદ્યાન પરીતળાવ સુંદર જગ્યા આવેલી છે નવાબી સમયની રાચરચીલું આ તળાવનો ઇતિહાસ દર્શાવે છે પરીતળાવ શહેરીજનો માટે એક ફરવા લાયક સ્થળ બની શકે તેમ છે જો કે સવારના ભાગે તો ચાલવા માટે સિનિયર સિટીઝનો તથા અન્ય માટે પરી તળાવ ખુલ્લું હોય છે પરંતુ સાંજના સમયે બંધ રાખવામાં આવે છે આ તળાવની રમણીયતા માં વધારો થાય તેવા સાધનો વસાવી તેમ જ બાળકો માટે બાલવાટિકા અને બોટની વ્યવસ્થા પણ કરવા માંગણી ઉઠી છે ખાસ કરીને શહેરી જનો પોતાના બાળકો સાથે પરી તળાવ તથા મોતીબાગ ની મુલાકાત લેવા અને મુક્ત વાતાવરણનો લાભ લઇ શકે તે માટે સાંજે ૫ થી ૮ દરમ્યાન પરી તળાવ ને ખુલ્લુ રાખવા તેમ જ મોતી બાગમાં આવેલી પાણી પરબ બંધ હોય તે પણ તાત્કાલિક શરૂ કરવા અને મોતીબાગ પરી તળાવ ફરવા માટે ખુલ્લું રાખવામાં આવે તેવી સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિને લેખિત રજૂઆત કરવામાં આવી છે
