કંબોઈ થી દેલમાલ સુધી 5 કિમી નો રોડ ઉબડ ખાબડ,વાહન ચાલકો પરેશાન
ચાણસ્મા તાલુકા ના કંબોઈ થી દેલમાલ ને જોડતો 5 કિલો મીટર રોડ છેલ્લા કેટલાય સમય થી ઉબડ ખાબડ થઈ જતા વાહન ચાલકો માટે આ રોડ માથા ના દુખાવા સમાન બન્યો છે. આ રોડ ઉપર રોજના સેંકડો વાહનો ની આવન-જાવન રહેતા વાહનો ના આવન-જાવન થી ધમધમતો રહે છે.કંબોઈ થી દેલમાલ સુધી નો પાંચ કિલોમીટર નો દુરસ્ત થયેલો રોડ નું તંત્ર દ્વારા નવીનીકરણ કરવામાં આવી કેવી લોકમાંગ ઉઠવા પામી છે.
હસનપીર દરગાહ વહીવટદાર ફકરૂદ્દીન ભાઈ વકીલે જણાવ્યું હતું કે કંબોઈ થી દેલમાલ નો રોડ બિસ્માર હાલતમા઼ હોઈ દેલમાલ ગામે હસનપીરની જગ્યામાં ભારતભરમાંથી વાહન મારફતે શ્રધ્ધાળુઓ દર્શનાર્થીને હાલાકી ભોગવવી પડે છે. જ્યારે દેલમાલના અગ્રણી મહેન્દ્રભાઈ દેસાઈ ત્રિભુવનભાઈ જેઠીએ જણાવ્યું હતું કે દેલમાલ ગામે પવિત્ર લીમજા માતાજીનું મંદિરે કચ્છ,સૌરાષ્ટ્ર,અમદાવાદ, વડોદરાથી શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. જેના કારણે કંબોઈ થી દેલમાલ સુધી પાંચ કિલોમીટરનો રોડ જેની હાલત ખાડા પડી જવાના કારણે નગરના મગરની પીઠ સમાન બની છે.