Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

ભરૂચ દહેજની ખાનગી કંપનીમાં આગ લાગતા દોડધામ,સદનસીબે કોઈ જાનહાની નહિ

રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે,ભરૂચ જિલ્લામાં પણ છેલ્લા એક સપ્તાહ માં અનેક સ્થળે આગ લાગવાના બનાવો બની રહ્યા છે જેમાં વધુ એક ઘટના દહેજ જીઆઇડીસી વિસ્તારમાં આજે બની હતી,જોકે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો,જોકે એક સમયે પોલીસ અને ફાયર વિભાગ દોડતું થયું હતું

દહેજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ બેન્ઝોકેમ કંપની ના પ્લાન્ટ માં આજે સવાર ના સમયે પ્લાન્ટમાં સીડી સપ્લાય પાઈપ લાઇન ઉપર પડતા લીકેજ ના કારણે આગ લાગી હતી,જોકે ઘટના અંગેની જાણ ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર ના લાશકરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો,જોકે સદનસીબે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો મહત્વની બાબત છે કે ઉનાળાની શરૂઆત સાથે જ આગ લાગવાના અનેક બનાવો બની રહ્યા છે ત્યારે મુખ્યત્વે જીઆઇડીસી વિસ્તારોમાં આવેલી કંપનીઓએ સાવચેતી રાખવાની તાતી જરૂર જણાય છે જેથી કોઈ મોટી દુર્ઘટના ને ટાળી શકાય છે

संबंधित पोस्ट

LIC IPO નો ત્રીજો દિવસ: ઇશ્યુ અત્યાર સુધીમાં 1.19 વખત સબસ્ક્રાઇબ થયો છે, પોલિસીધારકોના અનામત ભાગ માટે 3.59 વખત બિડ

Karnavati 24 News

 ચલાલા નગરપાલિકામાં ચીફ ઓફિસર સામે ઉઠ્યો વિરોધનો સૂર

Karnavati 24 News

દર મહિને સરકાર આપશે રૂપિયા, જીવનભર રહેશો ટેન્શન ફ્રી: જાણો કેટલી રકમ એકાઉન્ટમાં થશે જમા?

Admin

રોકાણકારો માટે ખુશખબર/ હવે યસ બેંકે પણ FD પરના વ્યાજદરોમાં કર્યો વધારો, જોઈ લો નવા દર

Karnavati 24 News

ડીઝલ અને કેરોસીન ના ભાવ ખટાડવા ની માછીમારો ની માંગ

Karnavati 24 News

મોટી રાહત/ સરકારે કરી મોટી જાહેરાત, ખાવા પીવાની આટલી વસ્તુઓ પર નહીં લાગે ટેક્સ

Karnavati 24 News