Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
જન્માક્ષર

મહાશિવરાત્રી પર શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા ભોલેનાથ, જાણો મહાશિવરાત્રી પાછળની ત્રણ રસપ્રદ ઘટના

સનાતન ધર્મમાં ભગવાન શિવની ભક્તિનું વિશેષ મહત્વ છે. દરેક મહિનામાં આવતી શિવરાત્રી શિવજીની પ્રિય તો છે જ, ફાગણની શિવરાત્રીનું પણ પોતાનું વિશેષ મહત્વ છે. દેશભરમાં મહાશિવરાત્રીનો પર્વ ધામ ધૂમથી મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો પર્વ 1 માર્ચે મનાવવામાં આવી રહ્યો છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. મહાશિવરાત્રીના દિવસે શિવ મંદિરમાં ભગવાન શિવનો રૂદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. આજે મહાશિવરાત્રીના ખાસ પ્રસંગે જાણીયે કે અંતે કેમ મહાશિવરાત્રી મનાવવામાં આવે છે.શિવલિંગના સ્વરૂપમાં પ્રગટ થયા હતા શિવજીધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ શિવલિંગ સ્વરૂપમાં પ્રથમ વખત પ્રગટ થયા હતા. શિવનો પ્રાકટ્ય જ્યોતિર્લિગ એટલે કે અગ્નિના શિવલિંગૂના રૂપમાં હતા, જેનો ના તો આદિ હતો અને ના તો અંત. શાસ્ત્રો અનુસાર, શિવલિંગને શોધવા માટે બ્રહ્માજી હંસ રૂપમાં શિવલિંગના સૌથી ઉપરના ભાગને જોવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ તે સફળ થઇ શક્યા નહતા. ભગવાન વિષ્ણુ પણ વરાહ રૂપ લઇને શિવલિંગનો આધાર શોધી રહ્યા હતા પરંતુ તેમણે પણ આધાર મળ્યો નહતો.દ્વાદશ જ્યોતિર્લિગ થયા હતા પ્રકટશિવ પુરાણમાં કહેવામાં આવ્યુ કે મહાશિવરાત્રીના દિવસે દેશભરમાં 12 દ્વાદશ જ્યોતિર્લિગ પ્રકટ થયા હતા. જેમાં સોમનાથ જ્યોતિર્લિગ, મલ્લિકાર્જુન જ્યોતિર્લિગ, મહાકાલેશ્વર જ્યોતિર્લિગ, ઓમકારેશ્વર જ્યોતિર્લિગ, કેદારનાથ જ્યોતિર્લિગ, ભીમાશંકર જ્યોતિર્લિગ, વિશ્વનાથ જ્યોતિર્લિગ, ત્ર્યંબકેશ્વર જ્યોર્તિલિંગ, વૈધનાથ જ્યોર્તિલિંગ, નાગેશ્વર જ્યોર્તિલિંગ, રામેશ્વર જ્યોર્તિલિંગ અને ધૂષ્ણેશ્વર જ્યોર્તિલિંગ સામેલ છે. શિવ જીના આ 12 જ્યોર્તિલિંગોના પ્રકટ થવામાં ઉપલક્ષ્યમાં મહાશિવરાત્રી મનાવવામાં આવે છે.શિવ જી અને માં પાર્વતીનું મિલનમહાશિવરાત્રીને લઇને શિવ પુરાણમાં કેટલીક રસપ્રદ ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક કથા અનુસાર શિવ જીને પતિ રૂપમાં મેળવવા માટે માં પાર્વતીએ કઠિન તપસ્યા કરી હતી અને ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ તેમણે માં પાર્વતીને પત્નીના રૂપમાં સ્વીકાર કર્યો હતો. માટે આ દિવસને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

संबंधित पोस्ट

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, મેષ 03 જાન્યુઆરી: આજે વ્યવસાયમાં કેટલાક નવા પરિણામો અને કરાર પ્રાપ્ત થશે, સફળતા મળશે

Karnavati 24 News

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin

શુક્ર 13 જુલાઈ સુધી વૃષભ રાશિમાં રહેશે: કુંભ સહિત સાત રાશિઓ માટે સારો સમય; સિંહ, વૃશ્ચિક અને ધનુ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે

Karnavati 24 News

આજે જન્માક્ષર: દૈનિક રાશિફળ, મેષ 28 જાન્યુઆરી: આ સમયે માર્કેટિંગ અને પ્રમોશન પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે, વ્યવસાયિક રોકાણ માટે પણ યોગ્ય છે.

Karnavati 24 News

Vastu Tips : ખોટી દિશામાં ટીવી મુકવાથી થાય છે ધનનું નુકસાન, જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

Admin

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃષભ 07 ફેબ્રુઆરી: યુવાનો માટે તેમની કારકિર્દી સંબંધિત સ્પર્ધામાં સફળતા મેળવવાની યોગ્ય તક ઊભી થશે

Karnavati 24 News
Translate »