Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

આ રીતે ગંદા બાથરૂમને માત્ર 5 મિનિટમાં ચમકાવી દો, નહિં પડે બહુ મહેનત પણ

ઘરના બાથરૂમની ટાઇલ્સ ગંદી થઇ જાય એટલે આપણને અનેક ઘણી ગંદકી લાગે છે. ઘરનું બાથરૂમ ગંદુ થવાને કારણે એમાંથી સતત વાસ આવવાની શરૂ થઇ જાય છે અને પછી મચ્છર પણ થવા લાગે છે. આ માટે ઘરમાં બાથરૂમની સફાઇ કરવી ખૂબ જરૂરી છે. તો આ સ્માર્ટ ટિપ્સ તમારા બાથરૂમને ચમકાવવા માટે મદદ કરશે.
આ રીતે બાથરૂમને સાફ કરો
ટોયલેટ બ્રશ
તમે બાથરૂમ સાફ કરવા માટે ટોયલેટ બ્રશનો પણ ઉપયોગ કરી શકો છો. બાથરૂમ સાફ કરવા માટે તમે સાવરણો, પોતું અને ક્લિનરનો ઉપયોગ કરો. જો કે હવે માર્કેટમાં ઉભો બ્રશ પણ મળે છે. જો તમે બેસીને બાથરૂમ સાફ કરવામાં તકલીફ પડતી હોય તો તમે આ બ્રશની મદદથી પણ સાફ કરી શકો છો
ટોયલેટ ક્લીનરનો ઉપયોગ કરો
બાથરૂમની ટાઇલ્સને સાફ કરવા માટે તમે ટોયલેટ ક્લીનરનો ઉપયોગ કરો. ટોયલેટ ક્લીનર નાંખીને બ્રશ બરાબર ધસો અને થોડીવાર એમ જ રહેવા દો. ત્યારબાદ ચોખ્ખા પાણીથી ધોઇ લો. અઠવાડિયું સતત તમે આવું કરશો તો બાથરૂમ ક્લિન થઇ જશે.
પોતું
બાથરૂમ દરરોજ પાણીથી ભીનું થાય છે. આ માટે તમે જ્યારે બાથરૂમને ધોવો ત્યારપછી બાથરૂમમાં કોરું પોતુ કરો જેથી કરીને તમારું બાથરૂમ સુકાઇ જાય અને ભીનું ના રહે.
એસિડનો ઉપયોગ ટાળો
અનેક લોકો બાથરૂમ ગંદુ થઇ જાય એટલે એસિડનો ઉપયોગ કરતા હોય છે. એસિડના ઉપયોગથી બાથરૂમની ટાઇલ્સ વધારે ખરાબ થઇ જાય છે અને ટાઇલ્સ સમય કરતા પહેલા ખરાબ પણ થવા લાગે છે. આ માટે બને ત્યાં સુધી એસિડનો ઉપયોગ ટાળો.
પાણીથી સાફ કરો
બાથરૂમ ખરાબ થઇ જાય એટલે પહેલા પાણીથી સાફ કરી લો અને પછી ટોયલેટ ક્લિનર નાંખીને ફરી સાવરણથી ધોઇ લો. જો તમે રેગ્યુલરલી આવું કરશો તો બાથરૂમ તમારું ક્લિન થઇ જશે અને ગંદુ પણ નહિં રહે. આ સાથે બાથરૂમમાંથી વાસ પણ નહિં આવે.

संबंधित पोस्ट

રાત્રે સૂતી વખતે પીવો આ 2 ડ્રિંક્સ, તમને જિમ ગયા વગર જ મળશે ફ્લેટ ટમી.

Karnavati 24 News

बादाम हैं फायदेमंद सूखे मेवे : भीगे-सूखे-भुने-छिले या छिलके सहित खाने से वजन से लेकर पाचन तक की समस्या दूर हो जाएगी।

Admin

રસોઈ ટિપ્સ: શાકભાજીમાં વધુ પડતું મીઠું મૂડ અને સ્વાદ બંને બગાડે છે, તે બરાબર કરો

Karnavati 24 News

શું તમે તમારા ચહેરા પરના સફેદ દાગથી પરેશાન છો? તો આ ટિપ્સ ફોલો કરો.

Karnavati 24 News

ફોલો કરો આ 4 ટિપ્સ, માત્ર 2 જ દિવસમાં છૂટી જશે તમારા બાળકની સ્માર્ટફોન જોવાની લત

Karnavati 24 News

પાણીથી પણ એલર્જીઃ આ યુવતીને આંખમાં આંસુ આવવાથી પણ છે એલર્જી, નહાવાથી જીવ ગુમાવવાનો પણ ડર છે.

Karnavati 24 News