Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

દાહોદ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી નક્કર કામગીરી

લીમખેડા જુથ પાણીપુરવઠા યોજના થકી અહીંના ૬૪ ગામોના ૧૩૩૨૭૬ લોકોની પીવાના પાણીની જરૂરીયાત સંતોષાશે. એટલું જ નહીં આ ભવિષ્યમાં વસ્તી વધીને બે લાખથી વધુ થઇ જાય તો પણ પીવાના પાણી માટેની સમસ્યા નહીં સર્જાય એ રીતનું આયોજન કરાયું છે. આ યોજના અંતર્ગત લીમખેડા તાલુકાના ૪૩, સીંગવડ તાલુકાના ૧૮, ઝાલોદ તાલુકાના ૩ એમ કુલ ૬૪ ગામોને લાભ મળશે. કડાણા બલ્ક પાઇપલાઇન આધારિત રૂ. ૧૦૧.૮૯ કરોડની લીમખેડા જુથ પાણી પુરવઠા યોજનાને વહીવટી મંજૂરી મળી છે અને તેની કામગીરીનો આજથી શુભારંભ કરાયો છે.લીમખેડા જુથ પાણી પુરવઠા યોજના અંતર્ગત લાભાર્થી ગામોને નવીન જુથ યોજનાના કરમદી હેડવર્કસ મારફતે વિતરણ વ્યવસ્થાની પાઇપલાઇન મારફતે જરૂરીયાત મુજબના સ્ટોરેજ સ્ટ્રકચર બનાવી ગામના સૂચિત ભૂર્ગભ સંપ સુધી પુરૂ પાડવામાં આવશે.  યોજનાના સોર્સ તરીકે કડાણા ડેમ બલ્ક પાઇપલાઇન આધારિત યોજના અન્વયે ભાણાસિમલ ગામ નજીક બનાવવામાં આવનારા ઇન્ટેકવેલનો ઉપયોગ કરાશે.યોજનામાં કડાણા ડેમ આધારિત બલ્ક પાઇપલાઇન યોજનાના ઇન્ટેકવેલ થી કરમદી હેડવર્કસ સુધી કુલ ૪ પંપીગ સ્ટેશન દ્વારા પંપીગ કરી કુલ ૭૦ કિ.મી. પાઇપલાઇન મારફતે પાણી પુરવઠો કરમદી હેડવર્કસ ખાતે પહોંચતો કરાશે. કરમદી હેડ વર્કસ ખાતે ૨૦.૭૦ એમએલડી ક્ષમતાના ફીલ્ટર પ્લાન્ટ મારફતે કુલ નંગ ૬૭ નંગ (૦.૧૦ લાખ લીટર ૩૮ લાખ લીટરની ક્ષમતા)ના સંપ તથા ૪૦ નંગ (૦.૨૦ લાખથી ૫.૫૦ લાખ લીટર સુધીની ક્ષમતા)ની ઉંચી ટાંકી, ૩૮૦૪૨૪ મીટર પીવીસી પાઇપલાઇન, ૮૯૧૦૬ મીટર મેટાલીક પાઇપલાઇન મારફતે સમાવિષ્ટ ગામોમાં પીવાનું પાણી પહોંચાડવાનું આયોજન છે. આ યોજના પૂર્ણ થયેથી સમાવિષ્ટ ગામોની ૧.૩૩ લાખની વસ્તીને દૈનિક ૧૦૦ લીટર માથાદીઠ પીવાનું પાણી મળી રહેશે.આ વેળા ધારાસભ્ય  શૈલેષ ભાભોર સહિતના પદાધિકારી ઓ તેમજ યોજના સલગ્ન અધિકારી ઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

संबंधित पोस्ट

सत्येंद्र जैन के घर फिर छापा: ईडी ने 7 जगहों पर छापेमारी की, दिल्ली के स्वास्थ्य मंत्री 9 जून तक हिरासत में

Karnavati 24 News

महाराष्ट्र: केंद्रीय मंत्री ज्योतिरादित्य सिंधिया ने कहा- एकनाथ शिंदे बाल ठाकरे की विरासत को आगे बढ़ाएंगे

Admin

ગુજરાતમાં BJPએ બનાવ્યો વધુ એક ‘રેકોર્ડ’, CR પાટિલને સોંપવામાં આવ્યું સર્ટિફિકેટ 

Admin

TMC में कैसे शामिल हुए शत्रुघ्न सिन्हा? इस शख्स के रोल को बताया अहम, ममता बनर्जी पर दिया ये बयान

Karnavati 24 News

विपक्ष मदरसों में हो रहे सर्वे को लेकर राजनीती ना करे :केशव प्रसाद मौर्या

‘સિદ્ધુ મુસેવાલાના પિતાને મારા સલામ, મેં તેમનામાં અદભૂત હિંમત અને સહનશક્તિ જોઈ’ 

Admin