Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

દાહોદ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી નક્કર કામગીરી

લીમખેડા જુથ પાણીપુરવઠા યોજના થકી અહીંના ૬૪ ગામોના ૧૩૩૨૭૬ લોકોની પીવાના પાણીની જરૂરીયાત સંતોષાશે. એટલું જ નહીં આ ભવિષ્યમાં વસ્તી વધીને બે લાખથી વધુ થઇ જાય તો પણ પીવાના પાણી માટેની સમસ્યા નહીં સર્જાય એ રીતનું આયોજન કરાયું છે. આ યોજના અંતર્ગત લીમખેડા તાલુકાના ૪૩, સીંગવડ તાલુકાના ૧૮, ઝાલોદ તાલુકાના ૩ એમ કુલ ૬૪ ગામોને લાભ મળશે. કડાણા બલ્ક પાઇપલાઇન આધારિત રૂ. ૧૦૧.૮૯ કરોડની લીમખેડા જુથ પાણી પુરવઠા યોજનાને વહીવટી મંજૂરી મળી છે અને તેની કામગીરીનો આજથી શુભારંભ કરાયો છે.લીમખેડા જુથ પાણી પુરવઠા યોજના અંતર્ગત લાભાર્થી ગામોને નવીન જુથ યોજનાના કરમદી હેડવર્કસ મારફતે વિતરણ વ્યવસ્થાની પાઇપલાઇન મારફતે જરૂરીયાત મુજબના સ્ટોરેજ સ્ટ્રકચર બનાવી ગામના સૂચિત ભૂર્ગભ સંપ સુધી પુરૂ પાડવામાં આવશે.  યોજનાના સોર્સ તરીકે કડાણા ડેમ બલ્ક પાઇપલાઇન આધારિત યોજના અન્વયે ભાણાસિમલ ગામ નજીક બનાવવામાં આવનારા ઇન્ટેકવેલનો ઉપયોગ કરાશે.યોજનામાં કડાણા ડેમ આધારિત બલ્ક પાઇપલાઇન યોજનાના ઇન્ટેકવેલ થી કરમદી હેડવર્કસ સુધી કુલ ૪ પંપીગ સ્ટેશન દ્વારા પંપીગ કરી કુલ ૭૦ કિ.મી. પાઇપલાઇન મારફતે પાણી પુરવઠો કરમદી હેડવર્કસ ખાતે પહોંચતો કરાશે. કરમદી હેડ વર્કસ ખાતે ૨૦.૭૦ એમએલડી ક્ષમતાના ફીલ્ટર પ્લાન્ટ મારફતે કુલ નંગ ૬૭ નંગ (૦.૧૦ લાખ લીટર ૩૮ લાખ લીટરની ક્ષમતા)ના સંપ તથા ૪૦ નંગ (૦.૨૦ લાખથી ૫.૫૦ લાખ લીટર સુધીની ક્ષમતા)ની ઉંચી ટાંકી, ૩૮૦૪૨૪ મીટર પીવીસી પાઇપલાઇન, ૮૯૧૦૬ મીટર મેટાલીક પાઇપલાઇન મારફતે સમાવિષ્ટ ગામોમાં પીવાનું પાણી પહોંચાડવાનું આયોજન છે. આ યોજના પૂર્ણ થયેથી સમાવિષ્ટ ગામોની ૧.૩૩ લાખની વસ્તીને દૈનિક ૧૦૦ લીટર માથાદીઠ પીવાનું પાણી મળી રહેશે.આ વેળા ધારાસભ્ય  શૈલેષ ભાભોર સહિતના પદાધિકારી ઓ તેમજ યોજના સલગ્ન અધિકારી ઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

संबंधित पोस्ट

કોંગ્રેસ માટે ગુજરાતમાં 27 વર્ષથી બીજેપી પડકાર હતી હવે ત્રીજો પક્ષ મોટો પડકાર સાબિત થઈ શકે છે

राजस्थान: गायत्री बिश्नोई को AAP ने बनाया राजस्थान महिला विंग का अध्यक्ष? टीवी शो और फिल्मों में भी किया है काम

હિમંતા બિસ્વા સરમાના ગર્વથી હિંદુ બોલવાવાળા નિવેદન પર ઓવૈસીએ ટ્વીટ કર્યું, જાણો શું કહ્યું

Karnavati 24 News

सशक्तिकरण पर प्रधानमंत्री नरेंद्र मोदी का जोर; वित्त मंत्री निर्मला सीतारमण का बयान

Karnavati 24 News

मानगढ़ धाम को मिलेगा राष्ट्रीय स्मारक का मान, प्रधानमन्त्री नरेंद्र मोदी एक नवम्बर को दे सकते हैं सौगात

Admin

लखनऊ : बीजेपी नेता 100 लड़कियों को दिखाएंगे फिल्म ‘द केरल स्टोरी’

Translate »