ગુજરાતમાં વીજળી બચાવવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમના મંત્રીઓને ખાસ સૂચનો આપ્યા છે. તેમણે કહ્યું કે ઓફિસમાં અજવાળું હોય તો લાઈટનો ઉપયોગ ન કરો. તેમ સૂચન આપ્યું છે. ગ્રીન એનર્જીને ધ્યાનમાં રાખી સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ પ્રકારે અનોખો નિર્ણય લીધો છે.
વીજળી બચાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એક અનોખી પહેલ સામે આવી છે. જ્યાં સુધી અજવાળું હોય ત્યાં સુધી મુખ્યમંત્રી કાર્યાલયમાં લાઈટો ન ચાલું કરવી જોઈએ તેમ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય અને અન્ય કચેરીઓમાં પણ આ પ્રકારે લાઇટો ચાલુ અને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સાથી મંત્રીઓને સૂચન કર્યું છે કે વિભાગમાં પ્રકાશ હોય તો લાઈટની જરુર નથી જેથી લાઈટનો ઉપયોગ ન કરો. મુખ્યમંત્રીએ એન્ટી રૂમના ઇલેક્ટ્રિકલ ઉપકરણોને સ્વિચ ઓન અને ઓફ કરવાનો નિર્ણય લીધો છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલ સ્વભાવ પ્રમાણે મૃદુ મુખ્યમંત્રી કહેવાય છે. ત્યારે હળવી શૈલીમાં તેમણે આ મામલે તેમના મંત્રી મંડળમાં સામેલ મંત્રીઓને પણ આ સલાહ અનુસરવા માટે કહ્યું છે. વીજળી બચાવવા માટે અનોખો અભિગમ અપનાવવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ વાત કહી છે.