મોરબીના બ્રિજ દુર્ઘટના કેસમાં આજે પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે ચાર્જશીટમાં મુખ્ય આરોપી તરીકે ઓરેવા ગ્રુપના ડાયરેક્ટર જયસુખ પટેલનું નામ આપ્યું છે.
ગુજરાત પોલીસેમોરબી બ્રિજ ધરાશાયી કેસમાં 1,262 પાનાની ચાર્જશીટ રજૂ કરી અને ઓરેવા ગ્રૂપના ડિરેક્ટર જયસુખ પટેલનું મુખ્ય આરોપી તરીકે નામ ઉમેર્યું છે.
મોરબી ઝૂલતા પુલની હોનારતના કેસ અંગે ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે. આખરે લાંબા અંતરાલ બાદ આ કેસમાં મોરબી કોર્ટમાં કાલે 90 દિવસ પૂર્ણ થતા હોવાથી આજે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
10 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જેમાંથી 9ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે જયસુખ પટેલ ફરાર છે. મેનેજર દીપક પારેખ, દિનેશ દવે, ત્રણ સુરક્ષા ગાર્ડ, બે ટિકિટ ક્લાર્ક અને ઘણા ખાનગી કોન્ટ્રાક્ટ કામદારોની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે તેમ જાણવા મળ્યું હતું.
1262 પાનાની ચાર્જશીટ દાખલ કરી
ઓરેવા જૂથ પર મોટો આરોપ એ છે કે તેમણે યોગ્ય ફિટનેસ સર્ટિફિકેટ વિના સસ્પેન્શન બ્રિજને લોકો માટે ખુલ્લો મૂક્યો હતો. નગરપાલિકાએ કહ્યું: અમે કંપનીને કોઈ ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું નથી અને તેણે અમને એ પણ જાણ કરી નથી કે તે લોકો માટે બ્રિજ ખોલી રહી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ગુજરાતના મોરબી શહેરમાં ઝુલતા પુલ તૂટી પડવાની ઘટનામાં પોલીસે શુક્રવારે આજે ચાર્જશીટ દાખલ કરી હતી. આ અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા. નાયબ પોલીસ અધિક્ષક પી.એસ.ઝાલાએ મોરબી સેશન્સ કોર્ટમાં 1262 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. ઝાલા આ કેસના તપાસ અધિકારી છે.
જયસુખ પટેલ સામે ધરપકડ વોરંટ જારી
મોરબીમાં ઝૂલતા પુલ તૂટી પડવાની ઘટનામાં જેલવાસ ભોગવનારા નવ ઉપરાંત ઓરેવા ગ્રુપના જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં દસમા આરોપી તરીકે છે. અજંતા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ (ઓરેવા ગ્રૂપ) મોરબીમાં મચ્છુ નદી પર અંગ્રેજોના સમયમાં બનેલા આ ઝુલતા બ્રિજનું સંચાલન કરતી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટે 30 ઓક્ટોબર 2022ના રોજ બનેલી ઘટના અંગે જયસુખ પટેલ સામે ધરપકડ વોરંટ જારી કરી દીધું છે. પટેલની આગોતરા જામીન અરજી પર 1 ફેબ્રુઆરીના સુનાવણી થશે.