આ પુલ એટલા માટે મહત્વનો છે કે,અણુમથકમાં કોઈપણ આતંકવાદી ઘટના બને કે કોઈ હોનારત થાય ત્યારે બુલેટ ગતિએ સુરક્ષા પહોંચાડવા માટે હજીરા-ધુલિયાની નેશનલ હાઇવેથી અણુમથક વચ્ચે રેલવે લાઈન પર હાલમાં ફાટક હોવાથી ભારે વિલંબ થવાની સંભાવના સાથે દેશના અણુમથક અને તેનાથી ઊભી થનારી જાનહાનીને ટાળવા માટે પણ અતિ મહત્વનો છે અને સમયસર બની જાય તો યુદ્ધના ધોરણે સુરત મહાનગર હાઈવે 48ને હાઈવે 53 સાથે જોડીને દુર્ઘટના સમયે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય.આ વિસ્તાર સાંસદનો મતવિસ્તાર હોવા છતાં પણ આવા અગત્યના કામો કરવા પર ધ્યાન આપતા નથી અને વોટ લીધા બાદ લોકોને પરેશાન કરવામાં બહુ મજા આવે છે એવું લાગી રહ્યું છે.
મુખ્યમંત્રીનાં ભગીરથ પ્રયાસ તે જ વિકાસના સ્લોગન સાથે આ ખાડે ગયેલ કામગીરી મેળ ખાતો નથી. વ્યારા રેલવે બ્રિજ આપણા માટે કેટલો જરૂરી છે અને આ કામ વહેલું પૂરું થવાથી કેટલી સમસ્યાઓ નિદાન કરી શકીએ એનું ધ્યાન દોરવાની કોશિશ કરેલ છે પણ જો આપ આ સમસ્યાને ગંભીરતાપૂર્વક લેશો નહીં તો તારીખ 3/9/2022થી ગાંધીમાર્ગે પ્રતીક ઉપવાસ પર બેસવાની ફરજ પડશે અને એની સંપૂર્ણ જવાબદારી આપ તેમજ ગુજરાત સરકારની રહેશે. આપ આ આંદોલનને દબાવવાની કોશિશ ન કરશો કારણ કે સરકારની નાકામી છુપાવવા માટે રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે તો અમારે ઉગ્રઆંદોલન કરવાની ફરજ બનશે જોકે આ આંદોલન કરવાનું મુખ્ય ઉદ્દેશ આમ જનતાને પડી રહેલી તકલીફ દૂર થાય અને એમને આર્થિક રીતે થતો નુકસાન અને માનસિક ત્રાસથી બચી શકે.