જૂનાગઢના શિવરાત્રી મેળા દરમિયાન અનીડા વાછરડા ગામનો એક શખ્સ જાલીનોટ સાથે પકડાયો હતો આ શખ્સની પૂછપરછ દરમિયાન તેણે આપેલી માહિતીના આધારે એસ.ઓ.જી એ રાજકોટ અને જામનગરની મહિલાની અટક કરી તેની પૂછપરછ કરતાં તેણે કરજ દૂર કરવા અને તાંત્રિક વિધિ માં નોટોનો વરસાદ કરવા માટે આ જાલી નોટ બનાવી હોવાની કબૂલાત આપી હતી
જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળા દરમ્યાન ભવનાથ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મૂળ અનીડા વાછરા ગામના અને હાલ રાજકોટના ઢેબર રોડ પર વિસ્તારમાં રહેતા નરેન્દ્ર પાચા રામોલીયા ની ૫૦૦ના દરની જાલી નોટો સાથે પકડી લીધો હતો આ અંગે ભવનાથ પીએસઆઇ એમ સી ચુડાસમાં ફરિયાદ નોંધાવી હતી એસ.ઓ.જી દ્વારા આ ગુનાની તપાસ શરૂ કરવામાં આવી છે નરેન્દ્ર રામોલીયા ની પૂછપરછ કરતાં તેણે આ નોટ રાજકોટ બનાવી હોવાની કબૂલાત આપતા એસ.ઓ.જી.એ નરેન્દ્ર સાથે રાખી રાજકોટના વિરાટનગરમાં રહેતી સુશીલાબેન મેરૂભાઈ રાઠોડ ના ઘરે તપાસ કરતાં ૫૦૦ના દરની એક સરખી સીરીયલ નંબર વાળી ૩૩ બનાવટી નોટ 119 ઝેરોક્ષ, પ્રિન્ટર, ઝેરોક્ષ મશીન, કટર નકલી નોટના ટુકડાઓ મળ્યાં હતાં વધુ સુશીલાબેન ની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે પોતે અને જામનગરના પારુલ અને રાજકોટના ભાવેશ ઉર્ફે ભુવો સાથે મળીને પોતાનું દેવું અને કરજ દૂર કરવા તેમજ તાંત્રિક વિધિ માં નોટોનો વરસાદ કરવા આ બનાવટી નોટ બનાવવાનું નક્કી કર્યું હતું પારૂલબેને દ્વારકાના આદિત્યને નોટ બનાવવા મદદ લીધી હતી તેને સુશીલા બેન ના ઘરે જઈ લેપટોપ મારફત ૫૦૦ના દરની કલર વાળી જાલી નોટ બનાવી હતી અને આ નોટ માંથી ત્રણેય બજારમાં વટાવવા માટે લીધી હતી