Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

ભરૂચ દહેજની ખાનગી કંપનીમાં આગ લાગતા દોડધામ,સદનસીબે કોઈ જાનહાની નહિ

રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે,ભરૂચ જિલ્લામાં પણ છેલ્લા એક સપ્તાહ માં અનેક સ્થળે આગ લાગવાના બનાવો બની રહ્યા છે જેમાં વધુ એક ઘટના દહેજ જીઆઇડીસી વિસ્તારમાં આજે બની હતી,જોકે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો,જોકે એક સમયે પોલીસ અને ફાયર વિભાગ દોડતું થયું હતું

દહેજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ બેન્ઝોકેમ કંપની ના પ્લાન્ટ માં આજે સવાર ના સમયે પ્લાન્ટમાં સીડી સપ્લાય પાઈપ લાઇન ઉપર પડતા લીકેજ ના કારણે આગ લાગી હતી,જોકે ઘટના અંગેની જાણ ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર ના લાશકરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો,જોકે સદનસીબે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો મહત્વની બાબત છે કે ઉનાળાની શરૂઆત સાથે જ આગ લાગવાના અનેક બનાવો બની રહ્યા છે ત્યારે મુખ્યત્વે જીઆઇડીસી વિસ્તારોમાં આવેલી કંપનીઓએ સાવચેતી રાખવાની તાતી જરૂર જણાય છે જેથી કોઈ મોટી દુર્ઘટના ને ટાળી શકાય છે

संबंधित पोस्ट

સતત બીજા વર્ષે મુકેશ અંબાણીએ ન લીધો પગાર, નીતા અંબાણીને મળ્યા આટલા પૈસા

Karnavati 24 News

જૂન 2022માં જીએસટી કલેક્શન 1.44 લાખ કરોડ, ગત વર્ષથી 56 ટકા વધારે

Karnavati 24 News

 Reliance Groupમાં બદલાઇ શકે છે નેતૃત્વ, કોણ બનશે મુકેશ અંબાણીનો ઉત્તરાધિકારી?

Karnavati 24 News

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ ગોલ્ફ કાર્ટમાં બેસી સમગ્ર વટેશ્વર વનનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું, પ્રદર્શિત શિલ્પો અને ચિત્રો અંગે વિગતવાર માહિતી મેળવી

Karnavati 24 News

Paytm Down! ઘણા યુઝર્સ લોગ ઇન પણ નથી કરી શકતા, અનેક લોકોનું અટક્યું પેમેન્ટ

Karnavati 24 News

ટાટા ગ્રુપના આ શેરને વેચી નાખો, 395 રૂપિયા સુધી ઘટી શકે છે ભાવ

Karnavati 24 News