Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ-વિદેશસ્થાનિક સમાચાર

ભિલોડાના દહેગામડા ગામનો કુલદીપ પટેલ અને મિત્ર યુક્રેનની બોર્ડરે ફસાયા, પરિવાર ચિંતિત

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઇને અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે ત્યારે વધુ એક વિદ્યાર્થી યુક્રેન ફસાઈ જતાં પરિવારજનો ચિંતિત થયા છે.ભિલોડાના દહેગામડાનો કુલદીપ પટેલ અને તેની સાથે એમબીબીએસ કરતો મિત્ર અલ્પેશ પટેલ બંને છેલ્લા 18 કલાકથી યુક્રેનની બોર્ડર પર ફસાયા છે. પરિવારજનોએ જણાવ્યું કે, તેમની પાસે પાણી અને જમવાની કોઈ જ સગવડ ન હોવાથી હાલાકીઓ પડી રહી છે.બોર્ડર પર ફસાયેલા ભારતીયોને રોમાનિયામાં પ્રવેશ કરવા દેવામાં આવે અને બે દિવસ બાદ તેમને રોમાનિયામાંથી પરત ભારત લાવવામાં આવે તેવી સરકાર સમક્ષ પુકાર કરી છે.પિતા દિનેશભાઈ પટેલે વીડિયો સંદેશ માર્ફતે જણાવ્યું કે, કુલદીપ છેલ્લા છ વર્ષથી યુક્રેનમાં એમ.બી.બી.એસ કરે છે પરંતુ યુદ્ધનો માહોલ શરૂ થતા શનિવારે તેમનો પુત્ર કુલદીપ પટેલ અને તેનો મિત્ર અલ્પેશ પટેલ બંને સે ન્યુવસીથી બસ મારફતે રોમાનિયા તરફ જવા નીકળ્યા હતા. જ્યાં રાત્રે 50 કિમી ચાલ્યા બાદ બંને યુક્રેનની બોર્ડર પર પહોંચ્યા હતા. દિનેશભાઇ પટેલે જણાવ્યું કે રવિવારે બપોરે 3:00 માત્ર પાંચ મિનિટ તેમના પુત્ર કુલદીપ સાથે વાત થઇ હતી તેમાં તેણે જણાવ્યું કે અહીંયા જંગલ વિસ્તારમાં આર્મી રોમાનિયામાં પ્રવેશ કરવા દેતી નથી અને મોબાઈલ ચાર્જ કરવાનું તો ઠીક પરંતુ પીવાનું પાણી અને જમવાના પણ ફાંફા ઉભા થયા છે. રોમાનિયાની બોર્ડર પર પહોંચ્યા બાદ યુક્રેનની આર્મી રોમાનિયામાં પ્રવેશ ઉપર રોક લગાવી દેતાં 1200 થી વધુ ભારતીયો ફસાયા છે.મહત્વનું છે કે, આ પહેલા ભિલોડાનો એક જ્યારે બાયડ તાલુકાનો એક મળી કુલ બે વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા ત્યારે વધુ એક વિદ્યાર્થી યુક્રેનમાં ફસાઈ જતાં પરિવારજનોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે.

संबंधित पोस्ट

લક્ષાંક સામે જિલ્લામાં 2 દી’માં 40109 બાળકો રસી લેતાં 50 ટકા રસીકરણ પૂર્ણ

Karnavati 24 News

વડોદરામાં પરીવારની સામૂહીક આત્મહત્યા, પતિ પત્ની બાળકને મારી ખૂદ મરી ગયા, દિવાલ પર લખ્યું કારણ

Admin

ભારતે પેંગોંગ તળાવ પર પુલના નિર્માણનો વિરોધ કર્યો, ચીને કહ્યું કે પ્રાદેશિક સાર્વભૌમત્વના રક્ષણ માટે કામ કરવામાં આવી રહ્યું છે

Karnavati 24 News

વડોદરા શહેરના પ્રતાપનગર બ્રિજની હાલત ખખડધજ, પેરાપેટના પોપડા-પ્લાસ્ટર પણ ઉખડી ગયા

Karnavati 24 News

લેડી સિંઘમ તરીકે ઓળખાતા વાઘોડિયાના TDOની 4 મહિનામાં જ ગાંધીનગર બદલી

Karnavati 24 News

WHOના ચીફ ગુજરાતી બોલતા લોકો થયા પ્રભાવિત, કાઠિયાવાડી લહેકામાં કહ્યુ- કેમ છો, મજામા

Karnavati 24 News