Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

વડોદરા શહેરના પ્રતાપનગર બ્રિજની હાલત ખખડધજ, પેરાપેટના પોપડા-પ્લાસ્ટર પણ ઉખડી ગયા

વડોદરા શહેરના પ્રતાપનગરથી મકરપુરા વિસ્તારને જોડતા પ્રતાપનગર બ્રિજને વર્ષ 1990માં શહેરીજનો માટે ખુલ્લો મુકાયો હતો. છેલ્લા 35 વર્ષ જેટલા વખતથી વપરાશમાં હાલ બ્રિજની પેરાપેટ જર્જરીત થઇ ગઈ છે. પેરાપેટના પોપડા ઠેર-ઠેરથી ઉખડવા માંડ્યા છે અને પ્લાસ્ટર પણ તૂટવા માંડ્યું છે. ત્યારે આજે પ્રતાપનગર બ્રિજના ચાલી રહેલા સમારકામનું નિરીક્ષણ કરવા સ્ટેન્ડિંગ ચેરમેન આજે સ્થળ પર દોડી ગયા હતા. તો બીજી તરફ ગોકળગતીએ ચાલતી કામગીરીના કારણે પૂર્વ વિપક્ષી નેતાએ નારાજગી દર્શાવી ટ્રાફિકનું ભારણ ઘટાડવા નવા બ્રિજની માંગણી કરી છે. છેલ્લા ત્રણ મહિનાથી ગોકળગાયની ગતિએ ચાલતી બ્રિજની જર્જરીત પેરાપેટની કામગીરી વહેલી તકે પૂરી થશે તેવી આશા પાલિકાના હોદ્દેદારોએ વ્યક્ત કરી છે.વડોદરા મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવેલી વિગત એવી છે કે, પ્રતાપનગરથી મકરપુરાને જોડતો પ્રતાપનગર બ્રિજ 1986માં બનાવવાનું શરૂ થયું હતું. તત્કાલીન મેયર રણજીતસિંહ ચૌહાણના સમયમાં બ્રિજનું બાંધકામ શરૂ થયા બાદ ૧૯૯૦માં તૈયાર થતા તેનું લોકાર્પણ કરાયું હતું. ત્યારબાદ સતત ધમધમતા આ બ્રિજની પેરાપેટ છેલ્લા કેટલાય વખતથી જર્જરિત બની હતી. ઉપરાંત બ્રિજમાં પણ ઠેક ઠેકાણે ખાડા પડી જવા સહિત વરસાદી પાણી પણ ભરાઈ જાય છે. ઉપરાંત બ્રિજના સળિયા પણ કેટલીક જગ્યાએ બહાર દેખાવા માંડ્યા હોવાનું કહેવાય છે. આમ છેલ્લા 32 વર્ષથી સતત ઉપયોગમાં રહેલા પ્રતાપનગર બ્રિજની હાલત પણ જર્જરીત થઈ છે. જેથી ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી આશંકા નગરજનો વ્યક્ત કરી રહ્યા છે

संबंधित पोस्ट

પોસ્ટ વિભાગ દ્વારા ‘નારી શક્તિ સપ્તાહ’ (3-8 માર્ચ)નું આયોજન, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે કર્યો શુભારંભ

Gujarat Desk

વડનગરનું પુરાણ પ્રસિદ્ધ હાટકેશ્વર મંદિર લાઈટ એન્ડ સાઉન્ડ શો ધરાવતું રાજ્યનું સાતમું પ્રવાસન યાત્રા સ્થળ

Gujarat Desk

વડનગર આગામી સમયમાં અભ્યાસ, ઉત્સુકતા અને જ્ઞાનવર્ધનનું કેન્દ્ર બનશે : કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ

Gujarat Desk

કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; સોશિયલ મીડિયા પર કવિતા પોસ્ટ કરવા બદલ ઇમરાન પ્રતાપગઢી સામે થયેલ એફઆઈઆર થઈ રદ

Gujarat Desk

ગુજરાતમાં જળસંચયને પ્રોત્સાહન આપવા ૫૦ લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાશે: જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

Gujarat Desk

હિંસા નાબુદી,જાતીય ભેદભાવ, મહિલાઓને કામ કાજના સ્થળે થતી જાતીય સતામણી અને સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા લાવતા કાર્યક્રમનું આયોજન કરાયું

Gujarat Desk
Translate »