Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ભાજપ જ ગાંધીજીના હત્યારા નો વિષય આપી સસ્પેન્ડ કરવાના ખેલ કરે છે:- કોંગ્રેસ

ઉદ્ઘાટન પ્રસંગે પધારેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલે વલસાડની કુસુમ વિદ્યાલયમાં ગત સોમવારે યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં ‘મારો આદર્શ નાથુરામ ગોડસે’ વિષય બાદ સર્જાયેલા વિવાદ મુદ્દે ભાજપને ઘેરી હતી, તેમણે જણાવ્યું હતું કે આ વકૃત્વ સ્પર્ધામાં મને તો આકાશમાં ઊડતું પક્ષી જ ગમે, વૈજ્ઞાનિક બનીશ પણ અમેરિકા નહીં જાઉં અને ત્રીજો વિષય મારો આદર્શ નાથુરામ ગોડસે હતો, તેમ છતાં આગળના બે વિષયો છોડીને મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેના વિષયને જ પ્રથમ ઇનામ આપ્યું છે, તે ભાજપની વિચારધારાને આગળ લઈ જવાની મન્શાના દર્શન કરાવે છે, હાલમાં પણ વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ સરકાર પોતાના અધિકારીઓ મારફતે આવા ગતકડાં કરવાનું ચાલુ કરી દીધુ છે, કુસુમ વિદ્યાલયમાં બનેલ ઘટના અંગે કોંગ્રેસે કઠોર પ્રત્યાઘાત આપતા અંતે સફાળી જાગેલી સરકારે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની ફરજ પડી હતી, જો કે આ પણ એક ખેલ છે. હકીકતમાં આવી સ્પર્ધાઓમાં આ પ્રકારના ગાંધીજીના હત્યારના વિષયો પણ ખુદ ભાજપના નેતાઓ અને અધિકારીઓ જ આપે છે. અને વિવાદ થાય ત્યારે અધિકારીઓને સસ્પેન્ડ કરવાના ખેલ ખેલે છે. તેવા આક્ષેપ કોંગ્રેસી નેતા દિનેશ પટેલે કર્યા હતાં.

संबंधित पोस्ट

PM કિસાન સન્માન નિધિ યોજનાઃ PM કિસાન યોજનાનો 10મો હપ્તો આજે જાહેર થશે, 10 કરોડ પરિવારોને મળશે લાભ

Karnavati 24 News

પશ્ચિમ બંગાળ ના TMC સાંસદ વિરુદ્ધ ભરૂચ માં અપાયું આવેદનપત્ર

Karnavati 24 News

રાજકીય ભૂકંપ-બીટીપી આપ નું ગઠબંધન તૂટ્યું,છોટુ વસાવાએ આપ પર કર્યા પ્રહાર

વિપક્ષનો સવાલ: વર્ષ 2017 થી 2020 વચ્ચે ખાલી પડેલી જગ્યાઓ કેમ ન ભરી ? મંત્રી પૂર્ણેશ મોદીએ જવાબ આપ્યો કે હાલ આ મામલે મારી પાસે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી

Karnavati 24 News

રશિયા યૂક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં ભારત કોનો સાથ દેશે

Karnavati 24 News

આમ આદમી પાર્ટીએ વધુ એક સંગઠનના માળખાની જાહેરાત કરી, કાર્યભાર સોંપવામાં આવ્યો

Admin