Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ભાજપ જ ગાંધીજીના હત્યારા નો વિષય આપી સસ્પેન્ડ કરવાના ખેલ કરે છે:- કોંગ્રેસ

ઉદ્ઘાટન પ્રસંગે પધારેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલે વલસાડની કુસુમ વિદ્યાલયમાં ગત સોમવારે યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં ‘મારો આદર્શ નાથુરામ ગોડસે’ વિષય બાદ સર્જાયેલા વિવાદ મુદ્દે ભાજપને ઘેરી હતી, તેમણે જણાવ્યું હતું કે આ વકૃત્વ સ્પર્ધામાં મને તો આકાશમાં ઊડતું પક્ષી જ ગમે, વૈજ્ઞાનિક બનીશ પણ અમેરિકા નહીં જાઉં અને ત્રીજો વિષય મારો આદર્શ નાથુરામ ગોડસે હતો, તેમ છતાં આગળના બે વિષયો છોડીને મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેના વિષયને જ પ્રથમ ઇનામ આપ્યું છે, તે ભાજપની વિચારધારાને આગળ લઈ જવાની મન્શાના દર્શન કરાવે છે, હાલમાં પણ વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ સરકાર પોતાના અધિકારીઓ મારફતે આવા ગતકડાં કરવાનું ચાલુ કરી દીધુ છે, કુસુમ વિદ્યાલયમાં બનેલ ઘટના અંગે કોંગ્રેસે કઠોર પ્રત્યાઘાત આપતા અંતે સફાળી જાગેલી સરકારે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની ફરજ પડી હતી, જો કે આ પણ એક ખેલ છે. હકીકતમાં આવી સ્પર્ધાઓમાં આ પ્રકારના ગાંધીજીના હત્યારના વિષયો પણ ખુદ ભાજપના નેતાઓ અને અધિકારીઓ જ આપે છે. અને વિવાદ થાય ત્યારે અધિકારીઓને સસ્પેન્ડ કરવાના ખેલ ખેલે છે. તેવા આક્ષેપ કોંગ્રેસી નેતા દિનેશ પટેલે કર્યા હતાં.

संबंधित पोस्ट

પ્રદેશ કોંગ્રેસનું નવું માળખું જાહેર થતાની સાથે જ કોંગ્રેસમાં શરુ થયો આંતરીક વિખવાદ, કોણ થયું નારાજ

Karnavati 24 News

અમદાવાદમાં બનશે અધધ EWS આવાસોના મકાનો – આ વિસ્તારોમાં બનશે આવાસો

 જામનગર ભાજપના પૂર્વ પ્રમુખ હસમુખ હિંડોચાની ગોવા શીપ યાર્ડના ડાયરેકટર પદે વરણી

Karnavati 24 News

બુટ ચપ્પલ પર કરવામાં આવેલા જીએસટીના વધારાને લઇ જૂનાગઢના ધારાસભ્ય નોંધાવ્યો હતો

Karnavati 24 News

 જૂનાગઢ જિલ્લામાં બહુમત ગ્રામ પંચાયતો પર ભાજપ-કોંગ્રેસે કર્યા જીતના દાવા

Karnavati 24 News

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: 2017માં આ બેઠક પર થયો હતો ભાજપનો પરાજય, બે વર્ષ બાદ ધારાસભ્યએ બદલી દીધો પક્ષ

Admin