Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશબિઝનેસ

સુરત-અમરેલી એરલાઇન્સનો નવા વર્ષથી પ્રારંભ

રાજ્ય સરકારના સહયોગથી એરલાઇન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ સાથે રાજ્યમાં વિવિધ શહેરોને પરસ્પર હવાઇમાર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યા છે. 1 જાન્યુઆરીથી સુરતથી ઉડ્ડયન મંત્રીના હસ્તે સુરતથી અમરેલી હવાઇ સેવાનો પ્રારંભ કરવામાં આવશે.

આંતરરાજ્ય હવાઇ સેવા પુરી પાડનાર સુરતની એરલાઇન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ દ્વારા આગામી 1 જાન્યુઆરી 2022થી 9 સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી એમ ચાર સેક્ટર પર દૈનિક ફ્લાઇટ શરૂ કરશે.

સુરતથી ભાવનગર 30 મિનિટમાં, સુરતથી અમરેલી 45 મિનિટમાં, સુરતથી અમદાવાદ 60 મિનિટમાં અને સુરતથી રાજકોટ 60 મિનિટમાં મુસાફરી પૂર્ણ થશે. આ એરલાઇન્સનો તમામ વર્ગના લોકો લાભ લઇ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેક્ટર માટે એક સમાન રૂપિયા 1999 ટિકિટ દર રાખવામાં આવ્યો છે. નવા વર્ષે ગુજરાતને નવી ઉડ્ડયન સેવાનો લાભ મળશે. સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યોજાનાર સમારંભમાં મેયર હેમાલી બોઘાવાલા, રાજ્યના ઉડ્ડયન વિભાગ સચિવ હારિત શુકલા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, સુરત એરપોર્ટ ડિરેક્ટર શ્રીમતી અમન સૈની, કેપ્ટન અજય ચૌહાણ, CEO ગુજસેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

संबंधित पोस्ट

 જૂનાગઢમાં આજથી વિશ્વ હિંદુ પરિષદની કેન્દ્રીય મંડળની પ્રબંધ સમિતિની બેઠક

Karnavati 24 News

ટીડીએસ મુદ્દે ગૂંચવણ:ભારતીય ક્રિપ્ટો ઈન્ડસ્ટ્રીઝ પરના ટ્રાન્ઝેક્શન ટીડીએસ ઘટાડવા માગ

Karnavati 24 News

ફાયદાની વાત/ ફક્ત 7 રૂપિયાની રોકાણ કરીને આપ મેળવી શકશો 60,000નું પેન્શન, આજે જ કરો રોકાણ

Karnavati 24 News

કુપોષણ મુક્ત મહેસાણા જિલ્લા માટે દૂધસાગર ડેરીની કટિબધ્ધતા જિલ્લાના 453 બાળકોને દત્તક લઇ સુપોષિત રાષ્ટ્ર માટે દુધસાગરની આગેવાની

Karnavati 24 News

લાઠી નાં ઉદ્યોગપતિ ને એવોર્ડ

Karnavati 24 News

 પાટણમાં જિલ્લામાં રાયડાના ફુલની પીળી ચાદર પથરાઈ, ભાવ વધતા રેકોર્ડબ્રેક 38 હજાર હેક્ટરમાં વાવેતર

Karnavati 24 News