Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

દાગીના ચમકાવવાના નામે બે ગઠીયા સોનુ ઓગાળી ફરાર થઈ ગયા

શહેરના ગિરનાર દરવાજા નજીક રહેતા ગીતાબેન રાજુભાઈ પંડ્યા હનુમાન ખાતે આવેલા ઘરે હાજર હતા ત્યારે બે અજાણ્યા શખ્શો આવ્યા હતા અને રિલાયન્સ મોલમાંથી આવીએ છીએ વાસણો અને દાગીના ચમકાવવાના કેમિકલની જાહેરાત માટે આવ્યા છીએ તેમ કહી વાસણમાં કેમિકલ લગાવી ચમકાવી આપ્યા હતા તેમણે પહેલા વાસણો ચમકાવી આપતા મહિલાએ વિશ્વાસમાં આવી કાનમાં પહેરવાની ઘડી આપીને છેતરાઈ ગયા હતા બાદમાં ગીતાબેન ના સાંકડા ચમકાવી આપ્યા હતા ગઠિયાઓએ ગીતાબેનના કાનમાં કડી જોઈ તે કાળી થઈ ગઈ હોવાથી તેને સાફ કરવા કહી તેમાં કેમિકલ લગાડ્યું હતું અને વાટકામાં નાખેલા પ્રવાહીમાં કડી નાખી અને તડકે રાખી 20 એક મિનિટ બાદ બહાર કાઢી લેજો તેમ કહી જતા રહ્યા હતા વાટકામાંથી કડી બહાર કાઢી જોતા બંને કડીમાં કાણા પડી ગયા હતા સોનીને બતાવતા બંને કડીઓ માંથી બે ગ્રામ અને 130 મિલી જેટલું સોનું ઓછું થઈ ગયું હતું આશરે 10000 ની કિંમતનું સોનું ઓગાળી બંને ગઠીયાઓ નાસી ગયા હતા. આ અંગે ગીતાબેન પંડ્યાએ ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

संबंधित पोस्ट

अदालत में, आफताब पूनावाला ने श्रद्धा वाकर की हत्या करना स्वीकार नहीं किया।

Admin

સુરત:મિલો માંથી કેમિકલયુક્ત પાણી છોડાતા કીમ નદી ફરી એક વાર બની દૂષિત,દૂષિત પાણીથી કીમ નદીમાં અસંખ્ય માછલાંઓના મોત.

Karnavati 24 News

 પાટણની રાજનગરી સોસાયટીના રહીશને રખડતા ઢોરે હડફેટે લેતા હાથે ફ્રેક્ચર થયું

Karnavati 24 News

ગાંધીધામમાં અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખીને એક યુવકને પિતા-પુત્ર દ્વારા માર મારવામાં આવ્યો

Karnavati 24 News

 રાજકોટ સહિત દેશભરમાં ઓપો મોબાઇલના ડીલર્સને ત્યા ITના દરોડા

Karnavati 24 News

દિવાળી તહેવાર દરમ્યાન ભડકમોરા-સુલપડમાં જુગાર રમતા 9 જુગારીયાઓની ટાઉન પોલીસે ધરપકડ કરી

Admin