Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

ગુજરાત ઈલેક્શન 2022 : મહીસાગર કોંગ્રેસમાં ઉમેદવારોને લઈને ભારે રોષ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકીય પક્ષોમાં ટીકિટોને લઈને વિખવાદ વધી રહ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ પક્ષમાં હજુ પણ આંતરિક વિખવાદ પૂરો થવાનું નામ નથી લેતો અને ઉમેદવારોને લઈને ભારે નારાજગી બહાર આવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ છે જયારે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરના રોજ છે. મહીસાગર કોંગ્રેસ યાદ સુરતના માંગરોળ તલુકામાં કોંગ્રેસમાં ભારે નારાજગી ફેલાઈ રહી છે.

મહીસાગર જિલ્લામાં 3 બેઠકો માટેના ઉમેદવારોના નામની જાહેરાત ન થતા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ બહાર આવી રહ્યો છે. લુણાવાડા કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકરોમાં આંતરિક ઘમાસાણ ચાલી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડીએ પણ મહીસાગર જિલ્લામાં ઉમેદવારો જાહેર ન થતા કોકડું ગુંચવાઈ ગયું છે. સુરતના માંગરોળ તાલુકામાં કોંગ્રેસમાં ભડકો થયો છે અને તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય ભરતસિંહ કાઠવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ ઉપરાંત વટારીયા સુગરના માજી ડિરેક્ટર જયેન્દ્રસિંહ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

નોંધનીય છે કે ગુજરાતમાં પ્રથમ તબક્કાની સૌરાષ્ટ્રની બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે રાજકીય પાર્ટીના એક પછી એક નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી વધુ બેઠકો જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરી છે ત્યારે ગત ચૂંટણીમાં જે કોંગ્રેસને સૌરાષ્ટ્રની બેઠકો જીતી છે તેમાં વધુ ફોક્સ રાખ્યું છે. ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સમીકરણો બદલાઈ રહ્યા છે.

संबंधित पोस्ट

ગાંધીનગર જિલ્લામાં તા. ૩૦મી જાન્યુઆરી થી તા. ૧૩મી ફેબ્રુઆરી દરમ્યાન સ્પર્શ રક્તપિત્ત જાગૃત્તિ અભિયાન યોજાશે

Admin

ભાવનગર મહાપાલિકા ના સેનેટરી સબ ઈન્સ્પેક્ટર ને સસ્પેન્ડ કરાયા

Admin

ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા ત્યારે નરેન્દ્ર મોદીને માતાએ કરી હતી આ વાત જે સૌ કોઈ યાદ કરે છે.

Admin

અમદાવાદ: બેવડી ઋતુના લીધે વાયરલ ઇન્ફેક્શનમાં ધરખમ વધારો! રાજ્યમાં કોરોનાના કેસ પણ 100ને પાર, જાણો ડોક્ટર્સે શું આપી સલાહ?

Karnavati 24 News

મારા માટે A ફોર એટલે આદિવાસી, પહેલી સભા મારા આદિવાસી ભાઇ-બહેનોના આશિર્વાદ લઇને કરીશ : મોદી

Admin

ભરૂચ શહેરમાં આજરોજ ગુજકેટ-૨૦૨૩ ની જાહેર પરીક્ષા કુલ ૧૯ પરીક્ષા કેન્દ્રો પર ૩૬૪૨ જેટલાં ઉમેદવારોએ પરીક્ષા આપી.

Admin