Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

મોરબી એસપી કાર્યાલય ખાતે પીએમ મોદીએ બેઠક કરી, આપ્યા આ સૂચનો

મોરબી એસપી કાર્યાલય ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે અધિકારીઓએ પીડિત પરિવારો સાથે સંપર્કમાં રહેવું જોઈએ અને આ દુઃખની ઘડીમાં તેમને શક્ય તમામ મદદ મળે તે તમામ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

આ ઉપરાંત એસપી ઓફીસે અધિકારીઓએ વડા પ્રધાન મોદીને બચાવ કામગીરી અને અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી રહેલી સહાય વિશે માહિતી આપી હતી. પીએમ મોદીએ વિગતવાર અને વ્યાપક તપાસ કરવાની સલાહ આપી છે. પીએમ મોદીએ કહ્યું કે અધિકારીઓએ પીડિત પરિવારોના સંપર્કમાં રહેવું જોઈએ અને તે સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓને દુઃખની આ ઘડીમાં શક્ય તમામ મદદ કરે. અધિકારીઓ દ્વારા પીએમને અહીંની તમામ ઘટનાઓની રજેરજની માહિતી આપવામાં આવી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબીમાં સૌ પહેલા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં ઈજાગ્રસ્તો છે તેમની સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના હાલચાર પૂછ્યા હતા અને દર્દીઓને સાંત્વના આપી હતી. મોરબી એસપી ઓફિસ પર જઈને વડાપ્રધાને બેઠક કરી હતી.

ત્યાં જઈ રીવ્યૂ બેઠકમાં તમામ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મોરબીમાં સર્જાયેલી ભયંકર દુર્ઘટના બાદ સમગ્ર પંથકમ શોકમય બન્યું છે અને બુધવારે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે.

संबंधित पोस्ट

 હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં PHDનું કોર્ષવર્કની પરીક્ષાનું પેપર હાથથી લખેલું છાત્રોને આપતા ચર્ચાસ્પદ બન્યું

Karnavati 24 News

મેંદરડા જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા મતદાન યાદી સુધારણા કાર્યક્રમમાં જોડાવા માટે અપીલ કરાય

Karnavati 24 News

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવસારી ખાતે નિરાલી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને એ.એમ.નાયક હેલ્થકેર કેમ્પસનું ઉદ્દઘાટન કર્યું જે પ્રસંગે પૂર્ણશ મોદી ઉપસ્થિત રહ્યા

Karnavati 24 News

યુપી ટાઈપ, નિર્મલા સીતારમણ ના આ નિવેદનથી બખેડો ઉભો થયો ટ્વિટર પર ટ્રેડિંગ શરૂ થયું

Karnavati 24 News

આર્યકન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરૂકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એક્સપર્ટ લેક્ચરનું આયોજન

Karnavati 24 News

 કોણ બનશે સરપંચ ? મોરબી જીલ્લાના ૧૯૭ ગ્રામ પંચાયતની બેઠકો આવતીકાલે ફેસલો

Karnavati 24 News