Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

જુનાગઢ માં વડાપ્રધાના કાર્યક્રમમાં રોશની માટે મનપાએ 15 લાખ ખર્ચા

જૂનાગઢમાં વડાપ્રધાન ની સભા થઈ હતી જેના માટે કોર્પોરેશને 15,00,000 નો ખર્ચ દર્શાવ્યો હોય તેની સામે કોંગ્રેસી કોર્પોરેટરે વિરોધ વ્યક્ત કર્યો છે તેમણે આ ખર્ચમાં યોગ્ય તપાસ કરી બાદમાં જ બિલ ચૂકવવા માંગ કરી છે આ અંગે વોર્ડ નંબર 4ના કોંગ્રેસી કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ મનપાના કમિશનરને પત્ર પાઠવ્યો છે પત્રમાં જણાવ્યું છે કે 19 ઓક્ટોબર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂનાગઢમાં સભા યોજાઈ હતી આ સભાને લઈ મનપાની બિલ્ડીંગ તેમજ શહેરના સર્કલોને રોશની થી શણગારાયા હતા તેમજ શહેરના મુખ્ય માર્ગો ઉપર સ્વાગત અન્વયે મનપાના પદાધિકારીઓના ફોટા સાથેના હોડિગસ બોર્ડ લગાવાયા હતા આ પ્રચાર પ્રસાર પાછળ રૂપિયા 15,00,000 નો ખર્ચ ગણાય છે જેનો સ્થાયી સમિતિમાં પરિપત્ર નંબર 12 આઈટમ નંબર 1થી રજુ કરાયો છે ત્યારે પક્ષના કાર્યક્રમ માટેનો ખર્ચ પ્રજાના નાણાંમાંથી કઈ રીતે ચૂકવી શકાય? ત્યારે આ ખર્ચના ચુકાદા માટે ખાસ સમિતિની રચના કરી આખરે થયેલ ખર્ચની રકમ જ ચૂકવવામાં આવે અને એ રીતે પ્રજાના પૈસે પક્ષ માટે થતાં તાયફા બંધ કરવામાં આવે તેવી મંજુલાબેન પણસારાએ માંગ કરી છે

संबंधित पोस्ट

અવાણિયા નજીક ટ્રિપલ અકસ્માત , યુવાનનું મોત નિપજ્યું . .

Admin

ભાવનગર જિલ્લાના ગારીયાધાર ખાતે આજે દિલ્હીના મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં સભા યોજાઈ

Karnavati 24 News

રાજકોટ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ*કલેકટરએ પૂર્ણ થયેલ કામોની ઓનલાઈન એન્ટ્રી તથા જીઓ ટેગિંગ કરવા તાકીદ કરી*

Admin

કર્ણાટકના દાવણગેરેમાં ગર્જ્યા પીએમ મોદી, કહ્યું- ‘રાજ્યમાં ફરી બનશે ભાજપની સરકાર’

Karnavati 24 News

અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં માત્ર પુરુષોને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગ કરતા ત્રણ યુવક ઝડપાયા, લૂંટ કરવાનું કારણ જાણી ચોંકી જશો!

Karnavati 24 News

મ્યુનિસિપલ શાળા માં લાલિયા વાડી મંજુરી વગર ભોજન સમારોહ કર્યો

Admin