Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપીને આજીવન કારાવાસ સજા કરવામાં આવી

રમેશ કાળુભાઈ ધાખડા ગત તા. ૨૭.૫.૨૦૧૯ના રોજ પંથકની વાડી વિસ્તારમાં રહેતી સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી જઈ અપહરણ કરી સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. જ્યારે અન્ય રણછોડભાઈ ઉર્ફ મહેશભાઈએ રમેશને મજુરીની વ્યવસ્થા કરી આપી મદદગારી કર્યા સંદર્ભે પોલીસ મથકમાં જે તે સમયે સગીરાના વાલીએ ફરીયાદ આપતા પોલીસે આઈપીસી. ૩૬૬, ૩૬૩, ૩૭૬(આઈ)(એન) તેમજ પોક્સો એક્ટ ૪, ૧૭ અને ક્રીમીનલ લો એમેન્ડમેન્ટ ઓડીનન્સ ૨૦૧૮ની કલમ ૩૭૬(સી-૩) મુજબ ગુનો દાખલ કર્યો હતો. ઉક્ત કેસ ચોથા એડિશનલ સેસન્સ (સ્પે. પોક્સો કોર્ટ)ના જજશ્રી ડી.સી. ત્રિવેદીની અદાલતમાં ચાલી જતા ન્યાયમૂર્તિશ્રીએ ૩૩ દસ્તાવેજી પુરાવા, ૨૫ સાહેદોની જુબાની અને સરકારી વકિલ વિજયભાઈ જી. માંડલીયાની દલીલોને ધ્યાન ઉપર લઈ આરોપી રમેશ કાળુભાઈ ધાખડા (રે. નાના જીંજુડા, તા. સાવરકુંડલા)ને તકસીરવાન ઠરાવી આઈપીસી. ૩૭૬(આઈ)(એન), તેમજ લો એમેન્ડમેન્ટ ઓડીનન્સ ૨૦૧૮ની કલમ ૩૭૬(સી-૩) મુજબના ગુનામાં આજીવન કારાવાસ (આરોપીના બાકી આયુષ્ય સુધી)ની સજા તેમજ ૨૫૦૦૦નો દંડ અને ભોગબનનારને ૫૦ હજાર વળતર ચુકવી આપવા હુકમ ફરમાવ્યો હતો. જ્યારે અન્ય રણછોડભાઈ ઉર્ફે મહેશભાઈ લવજીભાઈને શંકાનો લાભ મળ્યો હતો.

संबंधित पोस्ट

લખનૌની હોટલમાં પ્રોપર્ટી ડીલરે ફાંસી લગાવી આત્મહત્યા: સુસાઈડ નોટમાં કહ્યું, મારા મોત અંગે પરિવારને જાણ ન કરો, અપશબ્દો હશે

Karnavati 24 News

અમદાવાદથી બાઈક પર રોડા ગામે આવતા યુવકનું કારની ટક્કરથી મોત

Karnavati 24 News

અંકલેશ્વર ની રાજપીપળા ચોકડી પાસે એક મકાન ના સંતાડેલ વિદેશી શરાબ નો જથ્થો ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો

પુત્રએ પ્રેમલગ્ન કર્યાનો બદલો પિતાની હત્યા!!

Karnavati 24 News

જૂનાગઢ તાલુકાના વધાવી ના ખેડૂત સાથે ગાય ખરીદવાના નામે ૬૦ હજારની ઠગાઈ

Karnavati 24 News

બુટ ચપ્પલ પર કરવામાં આવેલા જીએસટીના વધારાને લઇ જૂનાગઢના ધારાસભ્ય નોંધાવ્યો હતો

Karnavati 24 News