નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 શરૂ થવામાં હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે પ્રથમ મેચ 26 માર્ચે રમાશે. આ વખતે આઈપીએલમાં દસ ટીમો ભાગ લઈ રહી છે અને તમામ ટીમોએ પોતાના કેપ્ટનના નામની જાહેરાત કરી દીધી છે.
શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમના કેપ્ટનની જાહેરાત કરી અને દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસને તેમનો નવો કેપ્ટન બનાવ્યો છે. આ વખતે ફાફ વિરાટ કોહલીનું સ્થાન લેશે, જેણે ગત સિઝન બાદ કેપ્ટન પદ છોડ્યું હતું.
આ વખતે ચાર ટીમોની કેપ્ટનશીપ વિકેટકીપરના હાથમાં છે જ્યારે બે ટીમ એવી છે કે જેના કેપ્ટન વિદેશી છે. અન્ય તમામ આઠ ટીમોના કેપ્ટન ભારતીય છે.
- મુંબઈ ઈન્ડિયન્સ- રોહિત શર્મા
- ચેન્નાઈ સુપર કિંગ્સ- મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર)
- કોલકાતા નાઈટ રાઈડર્સ- શ્રેયસ અય્યર
- સનરાઇઝર્સ હૈદરાબાદ – કેન વિલિયમસન (NZ)
- દિલ્હી કેપિટલ્સ- ઋષભ પંત (વિકેટકીપર)
- રાજસ્થાન રોયલ્સ- સંજુ સેમસન (વિકેટકીપર)
- ગુજરાત ટાઇટન્સ – હાર્દિક પંડ્યા
- લખનૌ સુપર જાયન્ટ્સ – કેએલ રાહુલ (વિકેટકીપર)
- પંજાબ કિંગ્સ- મયંક અગ્રવાલ
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – ફાફ ડુ પ્લેસિસ (દક્ષિણ આફ્રિકા)
આ વખતે આઈપીએલ 2022 ભારતમાં રમાશે અને તમામ લીગ મેચો ચાર સ્ટેડિયમમાં યોજાશે. તમામ લીગ મેચો મુંબઈના ત્રણ સ્ટેડિયમ અને પુણેના એક સ્ટેડિયમમાં રમાશે. આ નિર્ણય કોરોના સમયગાળાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
લીગ મેચ 26 માર્ચથી શરૂ થશે, જે 22 મે સુધી ચાલશે. આ પછી પ્લેઓફ મેચો રમાશે, જ્યારે ફાઈનલ 29 મેના રોજ યોજાશે. આ વખતે દસ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જેમાં ગ્રુપ-Aમાં મુંબઈ, કોલકાતા, રાજસ્થાન, દિલ્હી, લખનૌનો સમાવેશ થાય છે. જ્યારે ચેન્નાઈ, બેંગલુરુ, ગુજરાત, હૈદરાબાદ અને પંજાબ ગ્રુપ બીમાં છે.